Corona Update: રાજ્યમાં છેલ્લા 21 કલાકમાં 31 નવા કેસ, 19 લોકો સાજા થયા

ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 204 છે, જેમાં એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10944 લોકોના મોત થયા છે. 

Corona Update: રાજ્યમાં છેલ્લા 21 કલાકમાં 31 નવા કેસ, 19 લોકો સાજા થયા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 31 કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં કોઈપણ દર્દીનું મૃત્યું થયું નથી. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં વધુ 19 લોકો સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10944 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12,13,887 લોકો સાજા થઈ ચુક્યા છે. તો નવા કેસની સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 25 હજાર 35 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 13 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 6, ગાંધીનગરમાં 5, મહેસાણામાં 5, ગીર સોમનાથ અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 204 છે. 

રાજ્યનો રિકવરી રેટ 99.09 ટકા છે. તો આજે સાંજે 5 કલાક સુધીમાં 81 હજાર 454 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના કુલ 10 કરોડ 97 લાખ 19 હજાર 894 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજા બંને ડોઝનો સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news