વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!

Crocodile in Gujarat: ગુજરાતમાં હાલ અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનું એક શહેર એવું પણ છે જ્યાં વરસાદમાં નદી ઓવરફલો થતા રોડ રસ્તાઓ પર શરૂ થઈ જાય છે મગરનું રાજ...જીહાં જાણીને નવાઈ લાગશે પણ આ શહેરમાં એક-બે નહીં પણ 1000 કરતા વધુ મગર વસે છે.

વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!

Crocodile in Gujarat: તમે વરસાદી પાણીથી પરેશાન હોવ અને જેમ તેમ કરીને રસ્તા પરથી પસાર થઈને ઘર કે ઓફિસ તરફ જઈ રહ્યાં હોવ. એવામાં જો અચાનક તમારા પગ પાસેથી મગરો દોડવા લાગે તો શું સ્થિતિ થાય? કંઈક આવી જ સ્થિતિ હાલ ગુજરાતના એક શહેરમાં જોવા મળી રહી છે. અલબત્ત આ વાત અત્યાર પુરતી જ નથી, અહીં વર્ષોથી ચોમાસામાં આવી જ પરિસ્થિતિ ઉદભવતી હોય છે. જોકે, તેમ છતાં આજ સુધી તંત્ર આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી શક્યું નથી. કારણકે, આ શહેરના તંત્રની ચામડી પણ મગરની જેમ જાડી થઈ ગઈ છે.

વરસાદ પડતા જ ગુજરાતના આ શહેરમાં રસ્તા પર આવી જાય છે મગરો! 
અમે વાત કરી રહ્યાં છીએ સંસ્કાર નગરી તરીકે જાણીતા વડોદરા શહેરની...ભારે વરસાદને પગલે જ્યારે આખાય શહેરમાં પાણીપાણી થઈ ગયું છે. ત્યારે અહીંની વિશ્વામિત્રી નદી છલકાતા પાણીની સાથો સાથ અનેક ખુંખાર મગરો પણ રોડ-રસ્તા પર આવી ગયા છે. વડોદરાના રોડ-રસ્તા, પર આ મગરોએ રીતસરનો આતંક મચાવ્યો છે. એટલું જ નહીં રોડ-રસ્તાની સાથો સાથ આ મગરો, અહીંની સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો, બગીચાઓમાં પહોંચી જાય છે. જેને કારણે સ્થાનિક રહિશો હંમેશા મગરના ખૌફમાં જીવતા હોય છે. 

આટલું ઓછું હતું ક્યાં હવે આ મગરો પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયા હોવાની ઘટના પણ સામે આવી છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં મગર ઘુસી જતાં હડકંપ મચી ગયો હતો. મગરને જોઈને બાહોશ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આવી જ રીતે વડોદરા શહેરના બગીચાઓ, રોડ-રસ્તાઓ પર આવી ચડેલા મગરના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. એજ કારણ છેકે, આવી સ્થિતિમાં અવારનવાર વાઈલ્ડ લાઈફની ટીમો દ્વારા મગરને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે. મહત્ત્વનું છેકે, વડોદરા શહેરમાં વરસાદ પડતાની સાથે જ નદીમાંથી મગરો બહાર આવી જતા હોય છે. વિશ્વામિત્રી નદીનું જળ છલકાય તેની સાથે મગરો પણ બહાર આવી જાય છે. જેથી સચેત રહેવા તંત્ર દ્વારા પણ હંમેશા ચેતવણી આપવામાં આવે છે.

થોડા દિવસો પહેલાં જ વડોદરાના ફતેગંજ નરહરી હૉસ્પિટલની બહાર મગર જોવા મળ્યો હતો. મોડી રાત્રે રસ્તા પર મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. ત્યાર બાદ મગરને રેસ્ક્યૂ કરી ફરી નદીમાં છોડાયો હતો. વર્ષોથી આ શહેરમાં મગરો અને લોકો એક બીજા સાથે વસવાટ કરતા આવ્યાં છે. જેમ ગીરમાં સિંહો વસવાટ કરે છે એમ વડોદરામાં મગરોનો વસવાટ છે.

ભારે વરસાદમાં નદીઓ ઓવરફ્લો થતી હોય છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ જો ભારે વરસાદનું પાણી એકઠું થાય તો આ નદી પણ છલકાતી હોય છે. આવી સ્થિતિમાં નદીમાં વસવાટ કરતા મગરો શહેરની સડકો પર આવી જતા હોય છે. એક અંદાજ મુજબ આ નદીમાં 450 થી વધુ ખુંખાર મગરો છે. વડોદરા મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગરો વસવાટ કરે છે. વડોદરા શહેર મધ્યમાંથી 17 કિલોમીટર વિસ્તારમાં સર્પાકારે વિશ્વામિત્રી નદી વહી રહી છે.

એક અંદાજ મુજબ આ નદીમાં 450 થી વધુ મગરમચ્છ આ નદીમાં રહે છે. અવારનવાર ભારે વરસાદ કે નદીમાં પૂરની સ્થિતિને કારણે આ મગરો નદીની બહાર રસ્તા પર પણ ઉતરી આવતા હોય છે. વડોદરાવાસીઓ માટે આ વાત સામાન્ય બની ગઈ છે. તેથી જ નદીની આસપાસથી નદીના કિનારા નજીકથી પસાર થતાં સ્થાનિકો હવે પોતાની જાતે જ સતર્કતા રાખતા થઈ ગયા છે. 

ગુજરાતના આ શહેરમાં વસે છે 1000થી વધુ મગર!
વડોદરા તથા આજુ બાજુના ગામની નદી તથા તળાવોમાં મોટી સંખ્યામાં મગર રહે છે. સૌથી વધારે મગર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં રહે છે. વન વિભાગ અનુસાર, વડોદરામાં 350 થી 450 જેટલા મગર છે, જ્યારે આજુ બાજુ નદી, તળાવ સહિતની મગરોની સંખ્યા 1000 કરતા પણ વધારે છે.

નદીકાંઠે રહેતાં લોકો હંમેશા ભયમાં રહે છેઃ
અનેકવાર ઘટના થઈ ચૂકી છે કે નદી કિનારે કપડાં ધોતા હોય કે કુદરતી હાજતે  ગયેલા હોય આવા વ્યક્તિઓને મગર ખેંચી જવાની ઘટના બની ચૂકી છે. તેથી નદીકાંઠે રહેતાં લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે.

ગુજરાતના વડોદરા જિલ્લામાં ઓછામાં ઓછા 1,000 મગરોએ આરામદાયક ઘર શોધી કાઢ્યું છે, જે જિલ્લાના જિલ્લામાં સરિસૃપની સંખ્યા નક્કી કરવા માટે હાથ ધરવામાં આવેલી પ્રથમ વસ્તી ગણતરી દર્શાવે છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ મગર વડોદરા જિલ્લામાં છે. જેમાં એકલી વિશ્વા મિત્રી નદીમાં જ 450 જેટલાં મગરો છે. જ્યારે આ ઉપરાંત આસપાસની નદીઓ અને તળાવોમાં મળીને આ જિલ્લામાં અંદાજે 1 હજાર કરતા વધુ મગરો વસે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ છેલ્લા 20 વર્ષોમાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સરિસૃપની સંખ્યા ચાર ગણી વધીને 270 થઈ ગઈ છે. વન વિભાગે 2021માં આપેલી માહિતી મુજબ "અમારી ટીમોએ વિશ્વામિત્રી નદીમાં વસ્તી ગણતરી દરમિયાન 270 થી વધુ મગર જોયા. તેમાં પુખ્ત અને બાળક બંને મગરોનો સમાવેશ થાય છે જે નદીના જુદા જુદા ભાગોમાં રહે છે. સરિસૃપની સંખ્યા વધીને 1,000 માર્ક થઈ ગઈ છે," 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news