ગીર સોમનાથ: ગીરગઢડાના કાજરડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવાનો તણાયા

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માઢગામ નજીકની નદીમાં પ્રવાહમાં 3 યુવાનો તણાયા હતા. ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાના કાજરડી ગામનાં 3 યુવાનો તણાયા હતા. કાજરડી ગામના યુવાનો ડુબતા સમગ્ર ગામ નદીના કિનારા પર એકત્ર થઇ ચુક્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. એક સાથે 3 યુવાનો ડુબતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી.
ગીર સોમનાથ: ગીરગઢડાના કાજરડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવાનો તણાયા

ગીરગઢડા : ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માઢગામ નજીકની નદીમાં પ્રવાહમાં 3 યુવાનો તણાયા હતા. ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાના કાજરડી ગામનાં 3 યુવાનો તણાયા હતા. કાજરડી ગામના યુવાનો ડુબતા સમગ્ર ગામ નદીના કિનારા પર એકત્ર થઇ ચુક્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. એક સાથે 3 યુવાનો ડુબતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

હાલ તો 3 યુવાનો તણાયા હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. આ ઉપરાંત નાયબ મામલતદાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની મદદથી યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવાનો ગણેશ વિસર્જન કરવા જતા તણાયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news