GUJARAT CORONA UPDATE: 19 નવા કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 27 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,685 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 35,734 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: 19 નવા કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 27 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,685 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 35,734 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 204 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 204 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,685 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશન 6 અને અમદાવાદ 1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 789 નાગરિકોને રસીનો પ્રથમ અને 11809 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 163 ને રસીનો પ્રથમ અને 2297 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 8840 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 938 ને રસીનો પ્રથમ અને 10898 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 35,734 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,85,11,505 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news