GUJARAT CORONA UPDATE: નવા 31 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,526 નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ 23,786 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

GUJARAT CORONA UPDATE: નવા 31 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,526 નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ 23,786 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 218 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 216 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,13,526 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશનમાં 6, રાજકોટ કોર્પોરેશન 3, ભરૂચ અને સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 31 કેસ નોંધાયા હતા. 

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 596 ને રસીનો પ્રથમ જ્યારે 9535 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 81 ને રસીનો પ્રથમ અને 955 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 6488 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 937 ને રસીનો પ્રથમ અને 5194 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 23,786 ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,83,76,721 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news