GUJARAT CORONA UPDATE: 8 નવા કેસ, 33 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં આજે કોરોનાના માત્ર 8 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,703 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 64,014 ડોઝ અપાઇ ચુક્યાં છે. 
GUJARAT CORONA UPDATE: 8 નવા કેસ, 33 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના માત્ર 8 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,703 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 64,014 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 234 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. 231 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 12,12,703 નાગરિકો ડીસ્ચાર્જ પણ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત 10,942 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે સકારાત્મક સમાચાર કહી શકાય. ગાંધીનગર કોર્પોરેશનમાં આજે 3 નવા કેસ, વડોદરા કોર્પોરેશનમાં 3,  અમદાવાદ અને દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2068 નાગરિકોને રસીનો પ્રથમ અને 13560 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1327 ને રસીનો પ્રથમ અને 3424 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 9867 ને પ્રીકોર્શન ડોઝ અને 12-14 વર્ષના નાગરિકો પૈકી 33768 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. 64,014 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં રસીના કુલ 10,59,11,423 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news