GUJARAT CORONA UPDATE: ગુજરાતને ગભરાવતા કોરોનાના આંકડા, 1 નાગરિકનું મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 36 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,16,856 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં 5,10,849 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. 

GUJARAT CORONA UPDATE: ગુજરાતને ગભરાવતા કોરોનાના આંકડા, 1 નાગરિકનું મોત

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 36 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,16,856 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં 5,10,849 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. 

જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 319 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 313 નાગરિકો સ્ટેબલ છે. 8,16,856 નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. એક નાગરિકનું નવસારીમાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 17 કેસ, વડોદરા કોર્પોરેશન 6, નવસારી 3, જામનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં 2-2 કેસ. ગીર સોમનાથ, જામનગર, સુરત અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. 

બીજી તરફ જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી  10 ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1994 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 14579 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ, 122186 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43532ને રસીનો પ્રથમ જ્યારે 328548 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 5,10,849 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 7,79,84,129 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news