ગુજરાતના ખેડૂતો હવે ભગવાન ભરોસે, 26 યોજના બાદ વધુ એક સરકારી સહાય યોજના બંધ કરાઈ

Agriculture News : તાેજતરમાં ખેડૂતો માટેની 26 યોજના બંધ થયા બાદ, કૃષિ વિભાગ દ્વારા વધુ એક ખેડૂતલક્ષી યોજના બંધ કરવામાં આવી છે 
 

ગુજરાતના ખેડૂતો હવે ભગવાન ભરોસે, 26 યોજના બાદ વધુ એક સરકારી સહાય યોજના બંધ કરાઈ

Gujarat Government : ગુજરાત સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે તેવુ કહે છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતના ખેડૂતો ખુશ નથી. ગુજરાતમાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓની પોકાર ઉઠતી રહે છે. તાજેતરમાં જ રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક સાથે 26 યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ચોંકાવનારી બાબત તો એ કે, આ યોજનાઓ માત્ર કાગળ પર હતી. સરકાર બજેટમાં તો મોટી મોટી જોગવાઈ કરે છે, પણ તે જોગવાઈ માત્ર કાગળો પર રહે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. આ યોજના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે જાહેર કરાઈ હતી. પરંતુ આ વચ્ચે વધુ ખેડૂતો માટેની વધુ એક યોજના બંધ કરાઈ છે.  

થોડા સમય પહેલા રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિ નિપજમાં ઉપયોગી થાય તે માટે ડ્રમ તેમજ બે ટોકર-ટબ ખરીદવા માટે રૂ. 2 હજારની સહાય ચૂકવશે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી. ત્યારે થોડા સમયમાં જ આ યોજનાના પાટિયા પડી ગયા છે. ખેડૂતોની આવક બમણી કરવાના વચન વચ્ચે ખેડૂતોને ઉપયોગી ડ્રમ અને ટાકરની યોજનાનું પાટિયુ પડી ગયું છે. એક પછી એક ખેડૂતોની યોજનાના શટર પડી રહ્યાં છે, કૃષિ વિભાગે ખેડૂતોને ઉપયોગી એવા ડ્રમ-ટોકરની યોજનાને બંધ કરી છે. 

શું હતી યોજના 
વર્ષ 2021 માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં ડ્રમની ખરીદી કરતી વખતે ખેડૂતે જીએસટી સહિતનું બિલ લાવવાનું રહેશે અને ડ્રમ અને ટોકર-ટબ પર CIPET અને HDPEનો માર્કો હોવો ફરજિયાત છે. રાજય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE (High Density Poly Ethylene) માર્કવાળા 200 લિટરની ક્ષમતાનું પ્લાસ્ટિકના ઢાંકણવાળું ડ્રમ તેમજ 10 લિટરની ક્ષમતાવાળા બે ટોકર-ટબની કિટ ખરીદીની યોજના પર મહતમ રૂ.2000ની સહાય ચૂકવાશે. 

વર્ષ 2022 માં આખા રાજ્યામંથી 24 લાખ ખેડૂતોએ આ યોજના માટે અરજી કરી હતી. બાદમાં આ યોજનામાં વિવાદ પણ સર્જાયો હતો. યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ વાતો સામે આવી હતી. આખરે આખેઆખી યોજનાનું પાટિયુ પડી ગયું છે. જોકે, આ યોજના કેમ બંધ કરવામા આવી તેની કોઈ સત્તાવાર જાહેરાત કે કારણે કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવ્યું નથી. આ યોજના માટે બજેટમાં સરકારે 58 કરોડ રૂપિયા પણ ફાળવ્યા હતા. 

બીજી કઈ યોજનાઓ બંધ થઈ
1.સરલ કૃષિ યોજના
2.પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
3.બારડોલી ખાતર ચકાસણી પ્રયોગશાળા
4.રાજયના ખેડૂતોને શહેરી વિસ્તારમાં ફળો અને શાકભાજીના સીધા વેચાણ માટેની કાયમી સુવિધા આપવાની યોજના
5.સઘન કૃષિ જિલ્લા કાર્યક્રમ (ધાસચારા વિકાસ કાર્યક્રમ)
6.આંતરપાક તરીકે કઠોળ પાકના નિદર્શન
7.ચોખા પાકમાં SRI પધ્ધતિના નિદર્શન
8.સૂર્યપ્રકાશ (ઉર્જા) જંતુ ટ્રેપ ખેતરમાં સ્થાપવા
9.આંતરપાક તરીકે તેલિબિયા પાકના નિદર્શન
10.કૃત્રિમ વરસાદ
11.ઓટોમેટિક વેધર સ્ટેશન
12.સ્થાનવર્તી જીવાત નિયંત્રણ
13.ડાંગ જિલ્લો ૧૦૦% સેન્દ્રિય ખેતી હેઠળ
14.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના
15.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના-TASP
16.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના-SCSP
17.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
18.નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM- કેન્દ્ર હિસ્સો-નોર્મલ
19.નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM-રાજ્ય હિસ્સો-નોર્મલ
20.રાજ્યના સિમાંત ખેડૂતોને અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના
21.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-નોર્મલ
22.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-એસસીએસપી
23.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-ટીએએસપી
24.ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પાકોમાં ઇયળોનો ઉપદ્રવ ઘટાડવા ફેરોમેન ટ્રેપ અને દેશી ખાતરનું ડિકમ્પોઝીશન કરવા માટે વેસ્ટ ડિકમ્પોઝર તૈયાર કરવા માટે યોજના
25.એજીઆર-૫૨ ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીને સંગીન બનાવવી
26.સમાયોજિત બિયારણ એકમની સ્થાપના. (સીડ વેલી ફેડરેશન)

એક યોજના આનંદીબેન પટેલના સમયની હતી, જેમાં ખેડૂતો પોતાના ખેતરોમાંથી શહેરોમાં ફળો અને શાકભાજી શહેરોમાં સીધું વેચાણ કરી શકે તેના માટે કાયમી સુવિધા ઉપલબ્ધ કરાવવાની હતી. તેને પણ બંઘ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news