2022 ના અંત સુધી ગુજરાતના દરેક ઘરમાં નળથી જળ પહોંચશે : સરકાર

2022 ના અંત સુધી ગુજરાતના દરેક ઘરમાં નળથી જળ પહોંચશે : સરકાર
  • વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીએ માહિતી આપી
  • વર્ષ ૨૦૨૨ ના અંત સુધીમાં રાજ્યના દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવા સરકાર સંકલ્પબધ્ધ
  • ગ્રામીણ વિસ્તારોના તમામ ઘરોમાં સરફેસ સોર્સ અને ભૂગર્ભ જળ દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન
  • રાજ્યના 16 જિલ્લાઓને 10 ટકા નળથી જળ દ્વારા પાણી પહોંચતું થયુ

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યના જળસંપતિ અને પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું  છે કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યના દરેક ઘરમાં નળ થી જળ પહોંચાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં પ્રત્યુત્તર આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશમાં નળથી જળ પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ પૂર્વે જ વર્ષ 2022 ના અંત સુધીમાં આ નિર્ધાર પૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.
 
ગૃહમાં દાહોદ જિલ્લામાં હર ઘર જલની સ્થિતિ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ પૈકી દાહોદ તાલુકાના ૮૮ ગામોમાં રૂ.૧૦૩.૨૬ કરોડના કામો મંજૂર કરીને ૭૪૮૭૭ ઘરો પૈકી ૩૪૫૨૦ ઘરોમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલ્યો ઘરનો મહત્વનો ‘રાઝ’
  
તેમણે ક્રમશ: તાલુકા પ્રમાણે વિગતો આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ૭૫ ગામોમાં રૂ.૪૬.૯૩ કરોડના ખર્ચે ૫૧૦૦૯ ઘરો પૈકી ૨૮૩૫૩ ઘરોમાં, ઘાનપુર તાલુકાના ૬૬ ગામોમાં રૂ.૩૨ કરોડના ખર્ચે ૩૩૯૫૩ ઘરો પૈકી ૨૬૮૭૨ ઘરોમાં, ફતેપુરાના ૧૦૧ ગામો પૈકી રૂ. ૮૦.૮૦ કરોડના ખર્ચે ૪૮૧૬૫ ઘરો પૈકી ૩૪૬૧૬ ઘરોમાં, ગરબાળા તાલુકાના ૪૨ ગામોમાં રૂ.૩૬.૧૫ કરોડના ખર્ચે ૩૭૩૪૯ ઘરો પૈકી, ૨૦૭૯૩ ઘરોમાં, લીમખેડામાં ૮૦ ગામોમાં રૂ. ૫૭.૬૯ કરોડના ખર્ચે ૩૭૮૭૯ ઘરો પૈકી ૧૯૯૫૫ ઘરોમાં, સંજેલી તાલુકાના ૫૬ ગામોમાં રૂ.૩૦.૫૬ કરોડના ખર્ચે ૨૧૪૦૯ ઘરો પૈકી ૧૬૩૫૮ ઘરોમાં , સિંગવડ તાલુકાના ૫૭ ગામોમાં રૂ. ૩૫.૩૪ કરોડના ખર્ચે ૨૫૭૬૯ ઘરો પૈકી ૧૬૪૨૨ ઘરોમાં અને ઝાલોદ તાલુકાના ૧૦૫ ગામોમાં રૂ. ૧૦૮.૯૦ કરોડના ખર્ચે ૭૯૧૯૩ ઘરો પૈકી ૪૯૮૬૫ કામોમાં નળ સે જળ અંતર્ગત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીના ઘરોમાં ખૂબ જ ટૂંકાગાળામાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન સરકારે હાથ ધર્યું છે. 
 
વધુમાં ઋષિકેષ પટેલે કહ્યુ કે, રાજ્યના તમામ ગામો અને ફળિયાઓને સરફેસ સોર્સ આધારિત પાણીથી જોડવાનું આયોજન કર્યું છે. આ દરમિયાન લોકોને સમયસર નળના માધ્યમથી પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી જ્યાં જુથ યોજનાનું પાણી ઉપલબ્ધ નથી, તેવા ગામોમાં હયાત સ્થાનિક સ્ત્રોત આધારિત અને નવા સ્થાનિક સ્ત્રોતના માધ્યમથી પાણી પહોંચાડવાની કામગીરી કાર્યરત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news