કૃષિ રાહત પેકેજમાંથી પ્રથમ તબક્કામાં 538 કરોડની સહાય ચૂકવશે રાજ્ય સરકાર

રાજ્યના દાહોદ સિવાયના 32 જિલ્લાના ખેડૂતોને ફાળવાયેલી કુલ રકમમાંથી સરકારી નિયમ પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. SDRFના નિયમો પ્રમાણે હેકટર દીઠ રૂ.6800 લેખે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ચુકવણી કરવામાં આવશે. 
 

કૃષિ રાહત પેકેજમાંથી પ્રથમ તબક્કામાં 538 કરોડની સહાય ચૂકવશે રાજ્ય સરકાર

હિતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. કૃષિ રાહતપેકેજ માંથી ખેડૂતોને રૂપિયા ચૂકવવાની શરૂઆત કરવામાં આવશે. SDRFમાંથી પ્રથમ તબક્કાના રૂ. 538.17 કરોડ 32 જિલ્લાના ખેડૂતોને ચૂકવવા માટે ફાળવણી કરી છે.

રાજ્યમાં કમોસમી વરસાદથી ભારે તારાજી સર્જાઇ હતી જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું હતું. આ માટે સરકારે રાજ્યના 58 લાખ ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે સૌ પ્રથમ વખત રૂ.3700 કરોડથી વધારેનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. રૂ. 3700 કરોડના રાહત પેકેજમાંથી SDRFના નિયમો પ્રમાણે રૂ. 2154 કરોડ લેવાના થાય છે. જેમાંથી આજે ૨૫ ટકા રકમ એટલે કે, રૂ. 538.17 કરોડની પ્રથમ ફાળવણી કરવામાં આવી છે. 

રાજ્યના દાહોદ સિવાયના 32 જિલ્લાને આ રકમની ફાળવણી કરાઈ છે. રાજ્ય સરકારે કરેલા પરિપત્ર મુજબ સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાને રૂ. 47 કરોડથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. તમામ જિલ્લાઓના ખેડૂતોને ફાળવાયેલી કુલ રકમમાંથી સરકારી નિયમ પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. SDRFના નિયમો પ્રમાણે હેકટર દીઠ રૂ. 6800 લેખે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ચુકવણી કરવામાં આવશે. 

SDRFમાંથી રિલીઝ કરવામાં આવેલી ગ્રાન્ટ
ક્રમ જિલ્લાનું નામ સહાય(રૂ. કરોડમાં)
1 અમદાવાદ 19.31
2 અમરેલી 31.06
3 આણંદ 21.28
4 અરવલ્લી 9.15
5 બનાસકાંઠા 29.37
6 ભાવનગર 17.61
7 ભરૂચ 27.18
8 બોટાદ 8.55
9 છોટા ઉદેપુર 18.01
10 ડાંગ 2.98
11 દેવભૂમિ દ્વારકા 1.16
12 ગાંધીનગર 5.65
13 ગીર સોમનાથ 15.19
14 જામનગર 29.47
15 જુનાગઢ 24.58
16 કચ્છ 31.5
17 ખેડા 21.83
18 મહેસાણા 5.18
19 મહેિસાગર 5.99
20 મોરબી 29.36
21 નર્મદા 10.11
22 નવસારી 13.85
23 પંચમહાલ 3.57
24 પાટણ 0.43
25 પોરબંદર 3.66
26 રાજકોટ 22.35
27 સાબરકાંઠા 8.99
29 સુરત 25.4
29 સુરેન્દ્રનગર 47.68
30 તાપી 8.53
31 વડોદરા 25.54
32 વલસાડ 14.19
  કુલ 538.71

આ ચુકવણી અંતર્ગત હવે ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 25 ડિસેમ્બરના રોજ અટલબિહારી બાજપાઈના જન્મદિવસે ગુડ ગવર્નન્સ દિવસની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેના અંતર્ગત 9 જગ્યાએ કૃષિ સંમેલનનું આયોજન કરાયું છે. આ કૃષિ સંમેલનમાં ખેડૂતોને કૃષિ રાહત પેકેજની વહેંચણીની શરૂઆત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. 

રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજમાંથી કૃષિ સહાય લેવા માટે 58 લાખ ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાંથી અત્યાર સુધી 20 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. આ અરજીની ચકાસણી કરી પ્રભાવિત ખેડૂતોને રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજમાંથી રકમની ચુકવણી કરવામાં આવશે. રાજ્ય સરકારે જે ખેડૂતોને બિલકુલ નુકસાન ન થયું હોય તેવા ખેડૂતોને પણ રૂપિયા રૂ.4000ની ચુકવણી કરવાનો નિર્ણય લીધો છે. આવા ખેડૂતોમાંથી જેણે પણ ઓનલાઇન અરજી કરી હશે તો તેમને કૃષિ રાહત સહાય ચુકવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news