ઈચ્છા ન હોવા છતાં નરેન્દ્ર મોદીને ગુજરાત આવવું પડ્યું હતું, માત્ર એક ફોનથી થઈ હતી તેમની વતન વાપસી

Narendra Modi Life Story : નરેન્દ્ર મોદીની ઈચ્છા તો નહોતી, પણ એમને પરત ગુજરાત આવવું પડ્યું અને પછી શું થયું તે આખી દુનિયા જાણે છે. જાણો નરેન્દ્ર મોદીની વતન વાપસીની કહાની

ઈચ્છા ન હોવા છતાં નરેન્દ્ર મોદીને ગુજરાત આવવું પડ્યું હતું, માત્ર એક ફોનથી થઈ હતી તેમની વતન વાપસી

ચિંતન ભોગાયતા/અમદાવાદ :રાજકારણમાં એક સમય એવો પણ હતો કે, નરેન્દ્ર મોદી ગુજરાતની બહાર રહેતા હતા અને અન્ય રાજ્યોમાં સંગઠનની જવાબદારી સંભાળતા હતા. તેમજ રસપ્રદ વાત તો એ હતી કે, તેઓ ગુજરાત આવવા ઈચ્છતા ન હતા. ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં નહોતા એ સમયે શું કરતા? આખરે કોણે કરાવી મોદીની વતન વાપસી? કેમ નરેન્દ્ર મોદી ગુજરાત આવવા નહોતા ઈચ્છતા? નરેન્દ્ર મોદી ગુજરાતની બહાર જ્યારે બીજા રાજ્યોની સંગઠનની જવાબદારી સંભાળતા હતા ત્યારે તેમની વતન વાપસી કોણે અને કેમ કરાવી આવો એની પાછળ એક રસપ્રદ વાત છે. 

આ એ સમયની વાત છે જ્યારે ભાજપનું ગાડું ગુજરાતમાં સરખું ચાલી નહોતું રહ્યું. 2000-2001 નું વર્ષ હતું. ભાજપનો એવો સમય આવ્યો હતો કે ગુજરાતમાં એક પણ પેટાચૂંટણી જીત્યું નહોતું. ભાજપ માટે મોભાની ગણાતી સાબરમતી વિધાનસભા બેઠક અને સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. તાલુકા, નગરપાલિકાના પરિણામો કોંગ્રેસ તરફી આવ્યા હતા. અને ભૂંકપની થપાટ પણ ગુજરાત સહન કરી ચૂક્યું હતું.

એ સમય આવી ગયો હતો કે ભાજપ હવે જાગી જાય. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એક વ્યક્તિને જાણતા હતા, જે ગુજરાતમાં બધુ ઠીકઠાક કરી શકે અને એ નામ હતું નરેન્દ્ર મોદી. હુકમ કરાયો કે મોદી ગુજરાત જાય અને કેશુભાઈ પટેલ પાસેથી મુખ્યમંત્રીની ધૂરા સંભાળે. 

નરેન્દ્ર મોદી માટે આ બધું અચાનક અને અનઅપેક્ષિત હતું. એક મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ આ પ્રસંગ વિશે વાત કરી હતી. 2001 નો ઓક્ટોબર મહિનો હતો, માધવરાવ સિંધિયાનું વિમાન હોનારતમાં અકાળે અવસાન થયું હતું. એમની સાથે કેટલાક પત્રકારો પણ હતા. જેમાના એક ખાનગી ચેનલના કેમેરામેન પણ હતા, જેઓનો નરેન્દ્ર મોદી સાથે સારો સંપર્ક હતો. તેમના અગ્નિદાહ સંસ્કારમાાં હાજર રહેવા નરેન્દ્ર મોદી દિલ્હીના સ્મશાન ગૃહ ગયા હતા. એ જ સમયે નરેન્દ્ર મોદીને એક ફોન આવે છે અને એ ફોન હતો અટલ બિહારી વાજપેયીનો... જેના અંશો અહીં તમને જણાવીએ.... 

  • અટલજીઃ ક્યાં છો?
  • નરેન્દ્ર મોદીઃ હું સ્મશાન ગૃહમાં છું.
  • અટલજીઃ ત્યાં શું કરો છો?
  • નરેન્દ્ર મોદીઃ અગ્નિદાહ સંસ્કારમાં આવ્યો હતો.
  • અટલજીઃ ઠીક છે, મને સાંજે મળવા આવો.

અહીં ટોલિફોન પર તેમની વાતચીત પૂરી થઈ હતી. એ  સાંજે નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીને મળવા માટે પહોંચ્યા હતા. હવે એ મુલાકાતમાં શુ વાતચીત થઈ તે જાણીએ....

  • અટલજીઃ આ બધી પંજાબી વાનગીઓ ખાઈ ખાઈને તમે જાડા થઈ ગયા છો. તમારે વજન ઘટાડવું જોઈએ થોડા પાતળા થાવ. એમ કરો દિલ્હી છોડીને ચાલ્યા જાઓ. દીઃ અરે...ના...!
  • નરેન્દ્ર મોદીઃ પણ ક્યાં જાઉં?
  • અટલજીઃ ગુજરાત જાવ. તમારે ત્યાં કામ કરવાનું છે.
  • નરેન્દ્ર મોદીઃ તો હું ફક્ત ગુજરાતમાં જ કામ કરીશ કે અન્ય કોઈ રાજ્યની દેખરેખ રાખવાનું પણ રહેશે?
  • અટલજીઃ ના ના, ત્યાં જઈને તમારે ચૂંટણી લડવાની છે. અત્યાર સુધી તમે બીજાને ચૂંટણી લડાવી છે. હવે તમે ચૂંટણી લડો. 
  • નરેન્દ્ર મોદીઃ મારાથી એ નહીં બને. હું મહિનામાં 10 દિવસ ગુજરાત જઈશ અને ત્યાંનું સંગઠનનું કામ કરીશ. આ મારું કામ નથી. હું છ વર્ષથી ગુજરાતથી દૂર છું. મેં તો વિધાનસભાખંડ પણ જોયો નથી. હું ત્યાં જઈને શું કરીશ?
  • અટલજીઃ પણ...
  • નરેન્દ્ર મોદીઃ સત્તા મારી પસંદગીનું ક્ષેત્ર નથી. ઘણો લાંબો સમય થયો. હવે હું ત્યાં કોઈને જાણતો નથી. 
  • અટલજીઃ હું અહીં દિલ્હી આવ્યો ત્યારે હું કોને ઓળખતો હતો? 
  • નરેન્દ્ર મોદીઃ અરે...ના...!

અટલ બિહારીના કહેવા છતાં પણ નરેન્દ્ર મોદીને ગુજરાત પરત ફરવાની ઈચ્છા નહોતી. તે રાત્રે લાલકૃષ્ણ અડવાણીએ એમને મળવા બોલાવ્યા હતા. જ્યાં બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. 

આ પણ વાંચો : બિહારનું ટોનિક કહેવાય છે સત્તુ, કારગીલ યુદ્ધના જવાનોએ તાકાત વધારવા કર્યો હતો તેનો પ્રયોગ

અડવાણીજીઃ અટલજીને તમે શું જવાબ આપ્યો?
નરેન્દ્ર મોદીઃ કેમ?
અડવાણીજીઃ જુઓ, નિર્ણય લેવાઈ ગયો છે. 
નરેન્દ્ર મોદીઃ અરે પણ...સાંભળો...હું...

 
આ રીતે ચર્ચામાં પાંચ-છ દિવસ નીકળી ગયા. નરેન્દ્ર મોદીની ઈચ્છા તો નહોતી, પણ એમને પરત ગુજરાત આવવું પડ્યું અને પછી શું થયું તે આખી દુનિયા જાણે છે. આ હતી નરેન્દ્ર મોદીની વતન વાપસીની કહાની. તેમણે ગુજરાતની ધુરા એવી રીતે સંભાળી કે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દીધો, અને ગુજરાતને ચકચકિત બનાવીને હવે દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news