Breaking News: આ બે વિસ્તારના લોકોનું બદલાઈ જશે જીવન! ગુજરાત સરકારની મોટી જાહેરાત

Big Announcment of Government: ગુજરાત સરકારની વધુ એક મોટી જાહેરાત. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ કરી આ મહત્ત્વની જાહેરાત. રાજ્યની વધુ બે નગરપાલિકાઓને બનાવવામાં આવશે મહાનગરપાલિકા. વિસ્તારના લોકોનું બદલાઈ જશે જીવન ધોરણ.

Breaking News: આ બે વિસ્તારના લોકોનું બદલાઈ જશે જીવન! ગુજરાત સરકારની મોટી જાહેરાત

Finance Minister of Gujarat Announced: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને કારણે જે તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ ધરમૂળથી બદલાઈ જશે. તેમને મળતી સુવિધાઓમાં થઈ જશે ફેરફાર. ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો છે.  રાજ્યની વધુ બે નગર પાલિકા મહાનગરપાલિકા બનશે, આ જાહેરાત ખુદ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિધાનસભામાં ગૃહમાં કરી છે. ગુજરાતની પોરબંદર-છાયાં નગરપાલિકા અને બનશે નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. મહત્ત્વનું છેકે, અગાઉ સાત નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવાની ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારે ગત બીજી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે.

પોરબંદર – છાયા અને નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે-
ગાંધીનગરમાં હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈએ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવશે.તેમણે પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે. આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો અપાતા નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરવામા આવી હતી. ત્યારે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા નડિયાદવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.

રાજ્યની અંદાજે 50 ટકા વસતિ શહેરોમાં વસે છે-
હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થશે. અગાઉ ગૃહમાં બજેટ સત્ર દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રવર્તમાન શહેરીકરણની સ્થિતિને પારખીને રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે 50 ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ-2047 સુધી વધીને 75 ટકા સુધી પહોંચે તેવી ધારણા છે.

વિભૂતિઓની જન્મભૂમિને મળ્યું વિશેષ સન્માનઃ
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદની નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરાશે. નાણામંત્રી વિધાન ગૃહમાં કરી જાહેરાત. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત ધરાવતા બે નગરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા આધુનિક માળખાગત સુવિધાયુક્ત શહેરો તરીકે ઉજ્જવળ તકો મળશે. આ વર્ષના બજેટમાં સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હવે કુલ ૧૭ મહાનગરપાલિકાઓ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news