વાવાઝોડું ત્રાટકે ન ત્રાટકે ગુજરાતમાં ભયંકર પડશે વરસાદ, જાણી લો શું કરવું અને શું ના કરવું જોઈએ

Cyclone Biparjoy Alert: અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો રહેતો હોય છે. એટલે વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતથી ભલે વાવાઝોડું દૂર રહે પણ ભયંકર વરસાદ પડવાની આગાહીઓ છે. જેથી સરકાર પણ એલર્ટ બની ગઈ છે. એવી આગાહી છે કે સૌરાષ્ટ્રમાં 8થી 10 ઈંચ વરસાદ વરસી શકે છે. 

વાવાઝોડું ત્રાટકે ન ત્રાટકે ગુજરાતમાં ભયંકર પડશે વરસાદ, જાણી લો શું કરવું અને શું ના કરવું જોઈએ

Biparjoy Live Update : ગુજરાતમાં બિપોરજાય ત્રાટકે તેવી ઓછી સંભાવનાઓ વચ્ચે પણ વરસાદ પડવાની આગાહીથી ગુજરાતમાં વાવાઝોડાને લઈને બંદરો પર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત માટે સારા સમાચાર એ છેકે, બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ધીમેધીમે આગળ વધી રહ્યું છે. હાલમાં વાવાઝોડાની ઓછી સંભાવનાઓ વચ્ચે પણ લોકોએ વાવાઝોડાએ સાવચેતી રાખવી એ અતિ જરૂરી છે. હવામાન વિભાગ આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે પણ 11મી જૂને જ ક્લિયર થઈ જશે કે વાવાઝોડું ગુજરાતથી દૂર જશે કે નહીં. હાલમાં વાવાઝોડાએ રસ્તો બદલ્યો છે.  

ગુજરાતમાં હજુ પણ આક્રમક વાવાઝોડું બનશે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે. વાવાઝોડાનો ટ્રેકનો ઝૂકાવ ઓમાન તરફનો જોવા મળી રહ્યો છે. પરંતુ અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો રહેતો હોય છે. એટલે વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતથી ભલે વાવાઝોડું દૂર રહે પણ ભયંકર વરસાદ પડવાની આગાહીઓ છે. જેથી સરકાર પણ એલર્ટ બની ગઈ છે. એવી આગાહી છે કે સૌરાષ્ટ્રમાં 8થી 10 ઈંચ વરસાદ વરસી શકે છે. 

વાવાઝોડા પહેલાં શું કરવું.....
-  જો પાક લણણી માટે તૈયાર હોય તો ઊભા પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે રાખો જેથી પૂરથી તેને નુક્સાન થતું અટકે.
-  જો આપ જેખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સર્ચ જ સ્થળાંતર કરવું સલાહભર્યું છે.
- માછીમારોએ દરિયામાં જવું નહીં, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયા કાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે બોટને લાંગરવી.
સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વગર આપના સામાન તેમજ ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો.

શાંત રહો, ગભરાટ કરશો નહીં.
ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલાં વિશે ચર્યા કરો જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું તેઓને જ્ઞાન રહે, આમ કરવાથી તેઓનો ભય દૂર થશે અને આપત્તિ સમયે ઝડપથી સલામતીભર્યા પગલાં લેવાની વિકસશે. આપના આવાસની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરવાનો પ્રયત્ન કરો.

આપના અગત્યના દસ્તાવેજો, આપના ફોટોગ્રાફ સાથેના ઓળખપત્રો તેમજ બ્લડ ગ્રુપની માહિતી સાથે રાખો જેથી ઈજા પામવા, ગુમ થવા કે મૃત્યુ પામવાના કિસ્સામાં ઓળખ શક્ય બને. આપની પાસે ફાનસ, ટોર્ચ અને વધારાની બેટરી રાખો, ધાબળા, કપડા અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. બિમાર વ્યક્તિઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દિવસ ચાલે તેવી વ્યવસ્થા રાખો. .

કેટલાક લાકડાના પાટીયાઓ રાખો જેથી બારીઓમાં જડી શકાય. વૃક્ષના સુકા અને રોગયુક્ત ભાગો કાપી નાખો જેથી ફૂંકાતા પવનને લીધે તેઓના પડી જવાથી થતું નુકશાન અટકી શકે. નબળી ડાળીઓ પણ કાપી નાખો. વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખો. જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શકાય તેમ હોય તો ઉપરના માળે ખસેડી લેવો. 

વાવાઝોડું ત્રાટકે ત્યારે શું ન કરવું જોઈએ ? શું ન કરવું જોઈએ ?
- ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા. વાવાઝોડાના ગામ બહાર નીકળવાની ભૂલ કરવી નહી.
- વાવ ઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી.
- બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો, બને ત્યાં સુધી મેદાનમાં કે તેની આસપાસ રહો.
- માછીમારોને દરિયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ. અગરીયાઓ કે અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો.
- ઝાડ નીચે કે જૂના જર્જરીત મકાનોમાં આશ્રરા લેવાનું ટાળો, વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડશો નહીં. વીજળીના થાંભલાથી દૂર રહો. વીજપ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા.
- ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સારી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
-  કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો, સ્થાનિક અધિકારીઓની સૂચના પ્રમાણે વર્તો.

બહાર નીકળતા પહેલાં વાવાઝોડું પસાર થઈ ચુક્યું છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું, રેડીયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ. તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ. પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો. માછીમારોએ દરિયામાં જતાં પહેલાં અન્ય ર૪ કલાક સુધી રાહ જોવી હિતાવહ છે.

લોકોની મદદ માટે આપનાથી બનતી સેવા કરો જેવી કે -
– ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરો અને તેમના જાનમાલના નુકસાનની માહિતી ભેગી કરો.
- ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પૂરી પાડો, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો.
- રક્તદાન કરવા તૈયાર રહો. 
- કાટમાળના નિકાલની વ્યવસ્થા કરો જેથી સ્થિતિ ઝડપથી સામાન્ય બની શકે,
-  ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news