આખો દેશ થયો આઝાદ પણ ગુજરાતના આ શહેરને નહોતી મળી આઝાદી, નવાબોનું હતું ગુલામ

Independence Day Special: 15 મી ઓગસ્ટના રોજ આખો ભારત દેશ આઝાદ થઈ ગયો હતો. જોકે, તેમ છતાં ગુજરાતનું એક શહેર હતું જે નહોંતુ થયું આઝાદ. જાણવા જેવી છે આ રોચક કહાની...

આખો દેશ થયો આઝાદ પણ ગુજરાતના આ શહેરને નહોતી મળી આઝાદી, નવાબોનું હતું ગુલામ

Independence Day Special: આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે. સમગ્ર ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં આઝદી ની ખુશી માનવી રહ્યો હતો, ત્યારે જૂનાગઢની પ્રજા નવાબી શાસનની ગુલામીમાં સબડી રહી હતી. જૂનાગઢના નવાબે જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન જાહેર કરતા પ્રજાએ બળવો કર્યો હતો. આરઝી હકુમતની સ્થપના કરવામાં આવી હતી. ત્યારબાદ સરદારની કુનેહ નીતિથી જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝદ થયું હતું.

ભારતની આઝદી બાદ પણ નવાબી શાશન ધરાવતું જૂનાગઢ આઝાદ થયું હતું. જૂનાગઢના નવાબ મહાબતખાને મહમ્મદઅલી ઝીણાને પત્ર લખી જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે રખાવની ભલામણ કરી હતી. ભુટ્ટોએ પણ સ્ટેટ ગેજેટમાં જૂનાગઢને પાકિસ્તાન સાથે રાખવાની દરખાસસ્ત કરી હતી. જો કે જૂનાગઢની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકો હિજરત કરવા લાગ્યા હતા. જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય છે તેવી જાણકારી મહાત્મા ગાંધીને મળતા તેને આરઝી હકુમતની સ્થપના કરી અને તેના સરનશીન તરીકે શામળદાસ ગાંધીની  નિયુક્તિ કરી અને પ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી.

જૂનાગઢને આઝાદ કરાવવા આ પ્રધાન મંડળ રાજકોટ આવ્યું અને ત્યાં હવે પછીની દિવાળી જૂનાગઢમાં ઉજવીશું તેવી શામળદાસ ગાંધીએ ગર્જના કરી હતી. જૂનાગઢના નવાબ મહોબતખાનને જૂનાગઢમાં રહેવાનું અશક્ય લાગતા કેશોદ એરપોર્ટ પરથી  વાટાઘાટોને બહાને પાકિસ્તાન જતા રહ્યા.

આરઝી હકુમત પોતાના બળે એક પછી એક ગામડાં કબજે કરવા માંડ્યા. ૮ નવેમ્બર સુધીમાં ૧૦૮ ગામડાં કબજે કર્યા. ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ હાર્વે જોન્સે જૂનાગઢનો કબજો રાજકોટ નીલમ બુચને આપ્યો અને સાંજે  ૬ કલાકે  બ્રિગેડીયર ગુરૂદયાલસિંહે ઢંઢેરાથી જૂનાગઢનો કબજો લીધો. ત્યાર બાદ હિન્દી સૈનિકોએ સૌ પ્રથમ જૂનાગઢનો ઉપરકોટનો કબજો લીધો હતો. જૂનાગઢ આઝાદ થયું. જૂનાગઢ આઝાદ થયા બાદ લોકો મનમાં એમ હતું કે હવે શું થશે ત્યારે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ કેશોદ આવ્યા અને ત્યાંથી રેવલે માર્ગે જુનાગઢ આવી લોકોની લાગણીને ધ્યાનમાં લઇ ઐતીહાસિક બહાઉદીન કોલેજ ખાતે જાહેર સભાનું આયોજન કર્યું હતું. 

ઉમટેલી મેદનીને પૂછવામાં આવ્યું તમે ભારત સાથે રહેવા માંગો છે કે પાકિસ્તાન સાથે ત્યારે હજારો લોકોએ ભારતમાં રહેવાની ઇરછા દર્શાવતા જૂનાગઢનું ભારત સાથે જોડાણ થયું હતું. આમ જૂનાગઢની આઝાદી માટે સરદારની કુનેહ નીતિ કામ આવી હતી. અનેક સ્વાન્ત્રય સેનાનીઓએ સ્વનત્રતા માટે પોતાના લોહી રેડ્યા છે ત્યારે આપણે આઝાદીનો ઉત્સવ મનાવી શકી છીએ.  ત્યારે જૂનાગઢની આઝાદીના ઈતિહાસને બદલનાર આરઝી હકુમતના સેનાનીઓએ તત્કાલીન સમયે જૂનાગઢની મુક્તિ સમયે જે સંગ્રામ ખેલ્યો હતો તે વિશ્વની સફળ ક્રાંતિ પૈકી એક ગણાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news