દિલ તોડીને દગો કર્યો પારકાને તે સગો કર્યો! મહેસાણાના યુવકે પ્રેમલગ્નથી સંસાર શરૂ કર્યો, અને મળ્યું મોત

Husband Suicie Case : મહેસાણામાં પત્ની અને પત્નીના મિત્રની ધમકીઓથી પતિનો આપઘાત... બે માસ અગાઉ આપઘાતની ઘટનામાં નોંધાઇ ફરિયાદ... પત્ની અને ધમકીઓ આપનાર પત્નીના મિત્રો વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ... સ્યુસાઈડ નોટમાં મારી પત્ની ફોરમે દગો કર્યો લખ્યું હતું

દિલ તોડીને દગો કર્યો પારકાને તે સગો કર્યો! મહેસાણાના યુવકે પ્રેમલગ્નથી સંસાર શરૂ કર્યો, અને મળ્યું મોત

Mehsana News તેજસ દવે/મહેસાણા : લવ મેરેજ એટલે કે બે પ્રેમી પંખીડા વચ્ચે થયેલ પ્રેમ બાદ સાથે સંસાર શરૂ કરવાના લીધેલ વચનોનું પરિણામ. પણ જ્યારે લવ મેરેજ માં પણ દગો થાય ત્યારે તેનો આઘાત સહનશક્તિ બહાર નીકળી જાય. આવું જ કાઇક બન્યું મહેસાણાના એક યુવક સાથે કે જેણે જે યુવતી સાથે લગ્ન કર્યા એ યુવતીએ જ તેની સાથે કર્યો વિશ્વાસઘાત. અને તેમાં પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ જ ફરિયાદ દાખલ કરાવી દીધી. જેનાથી વધુ આઘાતમાં આવેલા યુવકે ગળે ફાંસો ખાઈ લેતા હવે યુવતી અને તેના મિત્રો વિરૂદ્ધ મૃતક યુવકના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં રહેતા એક યુવકે તેના ઘર સામે જ રહેતી યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. પણ આ લવ મેરેજ તેની જિંદગીનો અંત લાવી દેશે એવી એને નહોતી ખબર. આ લવ મેરેજે તેને છેક સુઇસાઈડ કરવા સુધી મજબૂર કરી દીધો. સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો, મહેસાણાના ટીબી રોડ પર પવનસુત સોસાયટી પાછળની શ્રી રો હાઉસ માં રહેતા રાઠોડ અરવિંદભાઈ અને હંસાબેનને બે પુત્ર નીરવ અને નિકુંજ છે. જે પૈકી નિકુંજને તેની જ સોસાયટીમાં સામેની લાઈનમાં રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો. બંનેએ વર્ષ 2021 માં લવ મેરેજ પણ કરી લીધા હતા. 

જો કે યુવતીના પરિવારજનોને આ સંબંધ મંજૂર ના હોઈ નિકુંજ ના પરિવારજનોના કહેવા મુજબ યુવતી ફોરમ તેના ઘરે પત્ની તરીકે રહેવા જ ગઈ નહોતી. બંને પરિવાર વચ્ચે આ મામલે અવારનવાર વાટાઘાટો થયો હશે પણ કોઈ ઉકેલ આવ્યો નહિ. દરમ્યાન નિકુંજની પત્ની ફોરમે નિકુંજના પરિવારજનો વિરૂદ્ધ ઘરેલુ ત્રાસની ફરિયાદ આપી દીધી. અને એની નોટિસ મળતા નિકુંજ અને તેના પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા. 

ગત 1 સપ્ટેમ્બરે નિકુંજના માતા પિતા આણંદ ગયા હતા. જ્યાં મહેસાણા નિકુંજ એકલો હતો. નિકુંજ એ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતા જ તેના માતા પિતા તુરત મહેસાણા આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસને નિકુંજે લખેલ સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે સ્યુસાઈડ નોટમાં નિકુંજે સ્પષ્ટ રીતે તેની પત્ની ફોરમ પર આક્ષેપ કરતા લખ્યું હતું કે, ફોરમ અને રવિ દેસાઈ વચ્ચે સેટિંગ નીકળ્યું. સ્યુસાઈડ નોટમાં મારી પત્ની ફોરમે દગો કર્યો લખ્યું હતું. રવિ દેસાઈ, અજય નાયી અને અક્કી મૃતક નિકુંજને મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. જે સ્યુસાઈડ નોટના હસ્તાક્ષર અભિપ્રાય માટે પણ નોટ મોકલાઈ હતી. 

નિકુંજ રાઠોડ એ બે માસ અગાઉ આત્મહત્યા કરી હતી. જે ઘટના ને લઈને તેના માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા. તો બીજી તરફ સ્યુસાઈડ નોટ પણ fsl માં મોકલાવવામાં આવી હતી. જેથી પોલીસ પણ તપાસ કરી રહી હતી. દરમ્યાન મૃતક ના પિતા અરવિંદ રાઠોડ એ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે હવે મહેસાણા પોલીસે મૃતક નિકુંજ ના પિતાની ફરિયાદ મુજબ યુવતી અને તેના 2 મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news