વ્યાજખોરોએ વ્યાજના પૈસા વસુલવા દેણદારના પુત્રનું સ્કોર્પીઓમાં અપહરણ, પછી... જાણો સમગ્ર ઘટના

અપહરણની ઘટના અંગે ભગવતપરા નિલમપાર્કમાં રહેતા રાકેશ ઉર્ફ નિતિનના પિતા ધનાભાઇ રઘુભાઇ ચૌહાણે સીટી પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે તે અને તેના પત્નિ ગામડામાં બંગડી કાચકા વેચી પરીવારનુ ગુજરાન ચલાવે છે.

વ્યાજખોરોએ વ્યાજના પૈસા વસુલવા દેણદારના પુત્રનું સ્કોર્પીઓમાં અપહરણ, પછી... જાણો સમગ્ર ઘટના

ઝી બ્યુરો/ગોંડલ: વ્યાજકંવાદ સામે રાજ્ય સરકાર આક્રમક બની છે પણ વ્યાજખોરો કાયદાને ગાઠતા ના હોય તેમ વ્યાજંકવાદમાં ગોંડલના સગીરનું બાવળાના શખ્સો દ્વારા અપહરણ કરાયુ હતુ. ઘટના બાદ પોલીસે સતર્કતા દાખવી અપહરણકર્તાનો પીછો કરી વીછીયાથી સગીરને છોડાવી પાંચ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હાદસો કા શહેર ગણાતા ગોંડલમાં ગત રાત્રે બનેલી સનસની ઘટનાની  વિગતો મુજબ શહેરના ભગવતપરા વાછરા રોડ ધારેશ્ર્વર નગરમા પીતરાઇના ઘર પાસે ઉભેલા રાકેશ ઉર્ફ નિતિન ઘનાભાઇ ચૌહાણ નામના સતર વર્ષના સગીરને સ્કોર્પીઓમાં ઘસી આવેલા અમદાવાદના બાવળા રહેતા મના ભોપા ભરવાડ, લાલાભાઇ ભરવાડ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લઇ જતા બનાવ અંગે પોલીસને જાણ કરાતા પીઆઇ.મહેશ સાંગાડા, પીએસઆઇ ઝાલા, ડી'સ્ટાફ ના વિપુલ ગુજરાતી,કે.કે.ચૌહાણ, કુલદીપસિંહ, હાર્દિકભાઇ સહિત ના સ્ટાફે નાકાબંધી કરી પીછો કરતા વિછીયા પાસે સ્કોર્પીઓને ઝડપી લઈ  રાકેશનો છુટકારો કરાવી મના ભરવાડ સહિત પાંચ શખ્સોને ઝબ્બે કરી કલમ ૩૬૩,૩૬૫,૩૮૭,૫૦૬(૨)૧૧૪ નાણા ધિરધાર અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી અપહરણકર્તાની આકરી પુછપરછ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.

અપહરણની ઘટના અંગે ભગવતપરા નિલમપાર્કમાં રહેતા રાકેશ ઉર્ફ નિતિનના પિતા ધનાભાઇ રઘુભાઇ ચૌહાણે સીટી પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે તે અને તેના પત્નિ ગામડામાં બંગડી કાચકા વેચી પરીવારનુ ગુજરાન ચલાવે છે. પૈસાની જરુર પડતા બે વર્ષ પહેલા પત્નિના સોનાના દાગીના ગીરવે રાખી બાવળા રહેતા મના ભોપા ભરવાડ પાસેથી પાંચ ટકા વ્યાજે રુ. અઢીલાખ લીધા હતા.

ઉપરાંત બાવળા ના જ લાલાભાઇ ભરવાડ પાસે થી ચાલીસ હજાર વ્યાજે લીધા હતા. બાદમાં કટકે કટકે મના ભરવાડને રુ.૧,૮૦,૦૦૦ ચુકવ્યા હતા. દરમિયાન બન્ને પાસેથી દાગીના પરત માંગતા બન્ને એ દાગીના ભુલી જા, બાકી નીકળતા પૈસા આપીજા નહીતર મારી નાખીશુ તેવી ધમકી આપી ઉઘરાણી  શરુ કરી હતી. આમ પઠાણી ઉઘરાણી બાદ ગત રાત્રે નંબર પ્લેટ વગર ની કાળા કલર ની સ્કોર્પીઓમા આવી મારા ભત્રીજાના ઘર પાસે ઉભેલા મારા પુત્ર રાકેશનુ બાવડુ જાલી સ્કોર્પીઓમા બેસાડી અપહરણ કરી ગયા હતા. 

ઘનાભાઇ એ પુત્ર ના અપહરણ ની જાણ થતા તુરંત ભગવતપરા મા રહેતા એડવોકેટ દિનેશભાઈ પાતરને વાત કરતા દિનેશભાઈ પાતરે તુરંત સીટી પીઆઇ સાંગાડાને બનાવ અંગે વાકેફ કરતા હરકતમાં આવેલી પોલીસે તુરંત નાકાબંધી કરી સ્કોર્પીઓ આટકોટ તરફ ગયાની બાતમીના આધારે પીછો કરી વિછીયા પાસેથી અપહરણ કર્તાઓને દબોચી લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news