જૂનાગઢમાં માતાએ કર્યો 4 બાળકો સાથે આપઘાત, 2ના મોત

જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામે એક માતાએ 4 બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફૂટ ઉંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે.

જૂનાગઢમાં માતાએ કર્યો 4 બાળકો સાથે આપઘાત, 2ના મોત

હનિફ ખોખર, જૂનાગઢ: વિસાવદરના જેતલવડ ગામે માતાએ 4 બાળકો સાથે આપઘાત કરકા ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને પગલે 108 અને પોલીસ તાથા તરવૈયા સહિત કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી છે. 

જૂનાગઢના વિસાવદરના જેતલવડ ગામે એક માતાએ 4 બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફૂટ ઉંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા 108 અને પોલીસ તેમજ ધારાસભ્ય સહિત આસપાસના ગ્રામજનો તથા તરવૈયા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તરવૈયાઓને એક બાળકને શોધવામાં સફળતા મળી હતી, આ સાથે અન્ય બે બાળકની લાશ પણ મળી આવી હતી. હાલ તરવૈયા માતા અને એક બાળકની કૂવામાં શોધખોળ કરી રહી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news