નરોડા બેઠક પર કોંગ્રસનો પેચ ફસાયો! નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યું, હવે આ સીટ પર કોણ લડશે ચૂંટણી?

Gujarat Election 2022: અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે.  થોડા દિવસ પહેલા NCPએ નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો. જોકે નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી.

નરોડા બેઠક પર કોંગ્રસનો પેચ ફસાયો! નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યું, હવે આ સીટ પર કોણ લડશે ચૂંટણી?

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે નરોડા બેઠક પર કોંગ્રસનો પેચ ફસાયો છે. કોંગ્રેસે એનસીપી સાથે ગંઠબંધન કર્યું હોવાથી આ પેચ ફસાયો છે. નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસનું ગંઠબંધન થયું છે..

મહત્વનું છે કે, અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે.  થોડા દિવસ પહેલા NCPએ નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો. જોકે નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી. જેથી હવે NCPએ મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે.

નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ પેચ ફસાયો
આ બેઠક પર NCPએ નિકુલસિંહ તોમરને ટીકિટ આપી હતી. છેલ્લી ઘડીએ નિકુલસિંહે ચૂંટણી લડવાની ના પાડી દેતાં હવે તેમની જગ્યાએ મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. હવે સમીકરણ એવું છે કે નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. હવે નરોડા બેઠક પર પેચ ફસાયો છે.

તમને જણાવી દઈએ કે, નરોડા બેઠક પર સિંધી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક વર્ષોથી ભાજપનું ગઢ ગણાય છે. ત્યારે હવે આ ચૂંટણીમાં NCPએ સિંધી આગેવાન મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે. નરોડા બેઠક પર NCPના મેઘરાજ ડોડવાણી, ભાજપના પાયલ કુકરાણી અને AAPના ઓમપ્રકાશ તિવારી વચ્ચે ટક્કર થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news