નવસારી યુવતી કેસમાં વળાંક : કબ્રસ્તાનમાંથી બહાર કઢાયેલા મૃતદેહના ગળા પર મળ્યા નિશાન

નવસારીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે નવસારી પોલીસ નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે. કિશોરીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. 

નવસારી યુવતી કેસમાં વળાંક : કબ્રસ્તાનમાંથી બહાર કઢાયેલા મૃતદેહના ગળા પર મળ્યા નિશાન

Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે નવસારી પોલીસ નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે. કિશોરીએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. 

નવસારી યુવતીના શંકાસ્પદ મોત મામલે નવસારી પોલીસ નવી સિવિલ હોસ્પિટલમાં યુવતીનો મૃતદેહને પીએમ અર્થ ખસેડી ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક પીએમ રિપોર્ટમાં કોલોજ્પ અડેટ થઈ હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં યુવતીના મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. પોલીસે પ્રાંત અધિકારીની હાજરીમાં કલથાણના કબ્રસ્તાનમાંથી મૃતકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. કિશોરીના પ્રેમીએ પ્રેમિકાનાં પરિવારજનો પર ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો હતો. 

આ બાબતે નવસારી જલાલપુરના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.આહીરે જણાવ્યું કે, આ ઘટનામાં જે રીતે પરિવાર દ્વારા કિશોરીની દફનાવવામાં આવ્યો હતો. જેને લઈને કિશોરીના પ્રેમી એ પરિવાર ઉપર આક્ષેપો કર્યા હતા. જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ફોરેન્સિક માટે લાવવામાં આવ્યો છે. અને પીએમ ફોરેન્સિક રિપોર્ટ આપ્યા બાદ જ આગળની સાચી હકીકત બહાર આવી શકશે. 

વધુમાં જણાવ્યું કે, એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારા મરજીથી આપઘાત કરી રહી છું. એમાં મારાં મમ્મી પપ્પા કોઈનો દોષ નથી. તેમ છતાં પ્રેમી દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અનુંસંધાને અમારા દ્વારા એક્સિટીવ મેજિસ્ટ્રેટ અને એસડીએમના હાજરીમાં મૃતદેહને બહાર લાવામાં આવ્યો હતો. યુવતીનો મૃતદેહ તારીખ 21 થી 25 એપ્રિલ સુધી કબરમાં હતો. જેથી ચામડીઓ બગડી ગઈ હતી. યુવતીના મામાના ગામમાં આવેલ કબ્રસ્તાન તેને દફનાવામાં આવી હતી. અને તે કબ્રસ્તાનના માલિક પણ યુવતીના મામાં જ હતા. આ પહેલા યુવતીને અબ્રામામાં દફનાવવા માટે ગયા હતા, પરંતુ ત્યાં ના પાડી દેવામાં આવી હતી.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે રહેતા હિન્દુ યુવક અને જલાલપોરની વિધર્મી યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ પ્રેમ યુવતીના પરિવારને મંજૂર ના હોવાથી તેઓએ તેને મારી નાંખીને દફનાવી દીધી હોવાની આશંકા પ્રેમી યુવકે સુરત રેન્જ આઇ.જી. સહિત જિલ્લા પોલીસ વડાને સમક્ષ વ્યક્ત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિધર્મી યુવતી સાહિસ્તા જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહીને અભ્યાસ કરતી હતી. નવસારી જિલ્લાના ખેરગામનો બ્રિજેશ બચુ પટેલ, જે આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતો હતો. તે સમય દરમિયાન યુવતી અને બ્રિજેશ બંનેની મિત્રતા થઈ હતી અને આ મિત્રતા દિવસો જતા પ્રેમમાં પરિણમી હતી. 

સમાજ અને ધર્મ અલગ હોવાના કારણે યુવતીના પરિવારને પ્રેમી પસંદ નતો
ગત 20 એપ્રિલના રોજ બ્રિજેશનો બર્થ ડે હોવાથી તેને સરપ્રાઇઝ આપવા યુવતી તેને મળવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ તે બ્રિજેશને મળે તે પહેલાં જ તેના પરિવારજનો યુવતીને શોધવા માટે યુવકના ઘરે પહોચ્યા હતા. ત્યાં યુવતી અંગે પૂછપરછ આદરીને હાજર કરવા માટે જણાવ્યું હતું. પરિવારજનોએ શોધખોળ કરતા વલસાડ ડેપો પરથી તેને લઈ ગયા હતા. પરંતુ 23 એપ્રિલની સાંજે બ્રિજેશના મિત્રે યુવતીને કુટુંબીજનોએ મારી નાંખીને દફનાવી દીધી હોવાની માહિતી મળતા જ તેને આ અંગે સુરત રેન્જ આઇ.જી. નવસારી જિલ્લા અરજી કરી હતી. તેના પગલે રાતે નવસારીના પ્રાંત અધિકારીની નિગરાની હેઠળ સાહિસ્તાની લાશ કબરમાંથી કાઢીને આજરોજ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે લઈ આવામાં આવ્યો છે. પેનલ પીએમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news