'ચૂંટણી પછી 80 વર્ષની ડોશી થયેલી કોંગ્રેસનું બારમું નક્કી જ છે', ફતેસિંહના કોંગ્રેસ પર આકરા પ્રહાર...

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર પંચમહાલના ધારાસભ્ય ફતેસિંહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ફતેસિંહે કોંગ્રેસને કહ્યું કે, રાહુલ ગાંધી તૂટતી કોંગ્રેસને જોડે. આ વખતે ચૂંટણી પછી 80 વર્ષની ડોશી થયેલી કોંગ્રેસનું બારમું નક્કી જ છે.

'ચૂંટણી પછી 80 વર્ષની ડોશી થયેલી કોંગ્રેસનું બારમું નક્કી જ છે', ફતેસિંહના કોંગ્રેસ પર આકરા પ્રહાર...

Loksabha Election 2024: પંચમહાલની કાલોલ વિધાનસભા બેઠકમાં નારી વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ તૂટી રહી છે અને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નિકળ્યા છે. 

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર પંચમહાલના ધારાસભ્ય ફતેસિંહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ફતેસિંહે કોંગ્રેસને કહ્યું કે, રાહુલ ગાંધી તૂટતી કોંગ્રેસને જોડે. આ વખતે ચૂંટણી પછી 80 વર્ષની ડોશી થયેલી કોંગ્રેસનું બારમું નક્કી જ છે. 60 વર્ષ રાજ કર્યા પછી પણ કોંગ્રેસને મહિલા યાદ ન આવી. ફક્ત પોતાના કુટુંબની જ મહિલા યાદ આવે છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહે નારી વંદના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે.

ફતેસિંહ ચૌહાણ જીવે છે સાદું જીવન
ફતેસિંહ ચૌહાણ બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે. હાલ તેઓ પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વ વાદી નેતાની છબી ધરાવે છે. 

ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સવારે વહેલા ઉઠી નિત્ય ક્રમ મુજબ સૂર્યનારાયણની આરાધના સાથે દિનચર્યાની શરૂઆત અને બાદમાં પૂજા તેમનો નિત્ય ક્રમ છે. સવારે થોડો સમય પરિવાર સાથે વિતાવી દરરોજ સવારે મળવા આવેલા પોતાના મત વિસ્તારના લોકોને સાંભળે છે. ત્યારબાદ પોતાના ખેતરમાં જઈ ખેતીના કામે લાગી જાય છે. તેઓ જાતે જ ખેતી અને પશુપાલનનું કાર્ય પણ કરે છે. ફતેસિંહનું જીવન એટલી સાદાઈથી ભરેલું છે કે આજના હાઈટેક યુગમાં પણ તેઓ સાદો જ મોબાઈલ વાપરે છે. તેમનું સોશિયલ મીડિયા તેમના દીકરાઓ હેન્ડલ કરે છે.

ફતેસિંહ ભજનિક હોવાથી જ્યારે લાક્ષણિક પોતાની અદામાં અને સુંદર રાગ સાથે આજે પણ તેઓ ભજન લલકારે છે, ત્યારે બે ઘડી સાંભળવાનું મન થાય. વર્ષો પહેલા ફતેસિંહે પોતાના અવાજમાં ભજનનું આલ્બમ પણ બનાવ્યું હતું. પોતાના ધર્મગુરુ બાદ ફતેસિંહ રાજકીય રીતે નરેન્દ્ર મોદીને પોતાના ગુરુ માને છે અને નરેન્દ્ર મોદી ફતેસિંહને ભગતનું હુલામનું નામ આપ્યું છે. ફતેસિંહ જમીન સાથે જોડાયેલા નેતા છે. હાલ તેમના ઘરની સ્થિતિ પણ સામાન્ય ખેડૂત જેવી જ છે. ફતેસિંહની સાદગી અન્ય નેતાઓને પ્રેરણા પુરી પાડી શકે તેવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news