આ સ્થળે છે રાવણના મોટા ભાઇ કૂબેરનું દુનિયાનું એક માત્ર મંદિર

રાવણના મોટા ભાઇ કૂબેરનું દુનિયાનું એક માત્ર મંદિર, અમાસે દર્શન કરવાથી થાય છે ઇચ્છા પૂર્ણ 

આ સ્થળે છે રાવણના મોટા ભાઇ કૂબેરનું દુનિયાનું એક માત્ર મંદિર

અમદાવાદ: ડભોઈ તાલુકાનાં કારનાડી ગામે નર્મદા નદીના કિનારે કુબરેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. જે ભારત ભરમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ તરીકે જાણીતુ છે. એવી માન્યતા છે કે આ મંદિરે સળંગ 5 અમાસ ભરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. અને રાવણના ભાઇ પણ કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે. અને આ મંદિર વિશ્વમાં એક જ છે. 

આ મંદિરમાં દર્શન કરવાથી તમારા ઘરમાં ભગવાન કૂબેરની કૃપાથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. અને આ સ્થળે પાંચ વાર અમાસ ભરવાથી તમારા મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ સ્થળે અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. અહિ દર અમાસે મેળા જેવો માહોલ જોવા મળે છે. મોટી સખ્યામાં લોકો કૂબરેશ્વર ભગવાના દર્શન કરવા માટે પહોંચે છે.

પોલીસે કોમ્બિંગ શરૂ કરતા ટેકનોલોજીથી સજ્જ ગુનેગારોએ બચવા ગોઠવ્યા CCTV

આ મંદિર પાકૃતિક સૌદર્ય સાથે આધ્યત્મનો સુંદર અનુભવ થાય છે. એક લોક વાયકા અનુસાર રાવણે લંકા માંથી કુબેરને કાઢી મુક્યા હતા. અને કુબેર ફરતા ફરતા નર્મદાના કિનારે આવી ગયા હતા. અને ત્યાં તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના અને તપ કર્યું હતું. ભગવાન શિવે પ્રસન્ન થઇને તેમને તમામ દેવોના ખજાનચી બનાવ્યા હતા. ત્યારથી તે અહિં બિરાજમાન છે. અને કુબરેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે.

સુરતથી લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આજુબાજુના ગામડાઓમાં એવી માન્યતા છે, કે લગ્ન પ્રસંગે આ સ્થળ પર આવીને લોકો એક દિવો કરે છે. અને તેમનો જમણવારના ભંડારમાં ક્યારેય ખોટ પડતી નથી. તેથી આ સ્થળ કુબેર ભંડારીના નામથી પણ વિશ્વ વિખ્યાત થયું છે. લોકોની શ્રદ્ધા સાથે અહિં પ્રકૃતિનો રસ ભળી જવાથી અહિં આનારા લોકોને શાંતિનો અનુભવ થાય છે. 

છોકરીઓની છેડતી કરતા રોમિયોના હવે ભુક્કા, ઉત્તર ગુજરાતની 600 દિકરીનું ‘મિશન સાહસી’

વડોદરાથી 33 કિમી દૂર ડભોઇ-તિલકવાડા રોડ ઉપર કરનાળી ગામમાં રેવા નદીના કિનારે શ્રી કુબેર ભંડારીનું મંદિર છે. ડભોઇથી 1.7 કિમી દૂર લીમડાપુરા ગામના પાટિયાથી 6 કિમી દૂર કુબેર ભંડારીના મંદિરે જઇ શકાય છે. ગુજરાત સરકાર દ્વારા માત્ર બે ટાઇમ બસની સુવિધા પણ ઉભી કરી છે. અહિ રહેવા ખાવાની તમામ સુવિધાઓ ઉપસલ્બધ છે. માટે કુબેર ભંડારીના મંદિરના જીવનમાં એક વાર તો જરૂર દર્શન કરવા જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news