Video : કરોડપતિ પરિવારનો દીકરો દિક્ષા લઈને આગળ વધી ગયો સંયમમાર્ગ પર
નિમિત્ત હવે રાષ્ટ્રસંત પદ્મસાગર સુરીશ્વર મહારાજના શિષ્યરત્ન આચાર્ય વિમલસાગર સૂરીજીના શિષ્ય બન્યા છે.
Trending Photos
સુરત : હાલમાં સુરતમાં બનેલી એક ઘટનામાં શહેરના કરોડપતિ વેપારીના પુત્રએ સંસારની મોહમાયાથી ઉપર ઉઠીને દિક્ષાને લઈને સંયમના માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ કરોડપતિ વેપારી કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. આ વેપારીનો પુત્ર નિમિત્ત દિક્ષા લઈને હવે મુમુક્ષુ નિગ્રંથ વિમલસાગર મહારાજ બની ગયા છે.
સુરતના ઘોડદોડ વિસ્તારમાં રહેતા આ કાપડના વેપારીના પુત્રએ સંસારની મોહ-માયાથી પર થઇ જૈન ધર્મ પરંપરા અનુસાર દિક્ષા ગ્રહણ કરી છે. પ્રજાસત્તાક પર્વ પર નિમિત્તની વરસીદાન યાત્રાનું આયોજન થયું હતું. નિમિત્ત હવે રાષ્ટ્રસંત પદ્મસાગર સુરીશ્વર મહારાજના શિષ્યરત્ન આચાર્ય વિમલસાગર સૂરીજીના શિષ્ય બન્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે