સમર્થકોને પારણાં કરવાની અપીલ, હોસ્પિટલમાંથી ડિસચાર્જ બાદ પણ મારા ઉપવાસ ચાલુ: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ફેસબુકના માધ્યમથી કરી પાટીદાર યુવાનોને પારણાં કરવાની અપીલ 
 

સમર્થકોને પારણાં કરવાની અપીલ, હોસ્પિટલમાંથી ડિસચાર્જ બાદ પણ મારા ઉપવાસ ચાલુ: હાર્દિક પટેલ

અમદાવાદ: હાર્દિક પટેલે જે પાટીદાર સમાજના યુવાનો હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે. તે તમામને ફેસબુકના માધ્યમથી પારણાં કરી લેવા માટે સુચન કર્યું હતું. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં પાટીદાર યુવાનો હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા હતા તે તમામને હાર્દિક પટેલે સાંજ સુધીમાં ગામના વડીલો તથા માતા-પિતાના હસ્તે પારણા કરી લેવા માટે અપીલ કરી છે. વધુમાં હાર્દિક પટેલે કહ્યું હતું, કે ત્રણથી ચાર કલાકમાં મને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કર્યા બાદ હું મારા નિવાસ સ્થાને ઉપવાસ ચાલુ રાખીશ. 

મુદ્દાઓ સ્પષ્ટ છે મારા ઉપવાસ હજી ચાલુજ છ: હાર્દિક પટેલ 
મારા દ્વારા કરવામાં આવેલા ઉપવાસ આંદોલન હજી ચાલુ જ છે. અને લોકોએ શાંતિથી કાયદામાં રહીને આંદોલને સમર્થન આપાવનું છે. ખેડૂતોની દેવા માંફી અને પાટીદાર અનામતની માંગ તથા અલ્પેશ કથિરીયાની જેલ મુક્તીના મુદ્દાઓ સ્પષ્ટ છે. અને આ મુદ્દાઓ સાથે હું હજી પણ ઉપવાસ યથાવત કરી રહ્યો છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news