કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીનું મોટું નિવેદન, 'કેજરીવાલ વડાપ્રધાન બનવાના મૂગેરીલાલના સપના જુએ છે'

કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ જૂઠ્ઠો માણસ છે અને જુઠ્ઠા માણસોની આ પાર્ટી છે. દિલ્હીમાં લોકોને ખોટા વાયદા કરીને ત્યાં સરકાર બનાવી છે.

કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીનું મોટું નિવેદન, 'કેજરીવાલ વડાપ્રધાન બનવાના મૂગેરીલાલના સપના જુએ છે'

જયેશ દોશી/નર્મદા: ભારતીય જનતા પાર્ટી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે ત્યારે આ ગુજરાત ગૌરવ યાત્રા નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યકક્ષા રામેશ્વર તૈલી પણ જોડાયા હતા. રામેશ્વર તેલીએ લોકોનું અભિવાદન પણ કર્યું હતું.

તેમણે પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ખૂબ પ્રગતિ કરી છે, ત્યારે તેઓએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ બાબતે જણાવ્યું હતું કે કેજરીવાલ વડાપ્રધાન બનવાના મૂગેરીલાલના સપના જોઇ રહ્યા છે. ત્યારે એ કોઈ દિવસ સાચા નહીં થાય. 

No description available.

વધુમાં તેમણે કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ જૂઠ્ઠો માણસ છે અને જુઠ્ઠા માણસોની આ પાર્ટી છે. દિલ્હીમાં લોકોને ખોટા વાયદા કરીને ત્યાં સરકાર બનાવી છે. અરવિંદ કેજરીવાલ જે છે તે પોતે એક જુઠ્ઠો માણસ છે અને જૂઠ્ઠી વાતો કરે છે અને લોકોને ભોળવે છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news