પાલઘર બાદ હવે બુલંદશહેરમાં 2 સાધુઓની ગળું ચીરીને હત્યા કરાઈ, એક યુવકની અટકાયત

મહારાષ્ટ્રના પાલઘર બાદ હવે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 2 સાધુઓની ગળું ચીરીને હત્યા કરી નાખવાનો મામલો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં આવેલા રૂમમાંથી બંને સાધુઓની લાશ  લોહીથી લથપથ જોવા મળ્યાં. ઘટના અનૂપશહેર પોલીસ સ્ટેશન વિસ્તારના પગોના ગામની છે. 
પાલઘર બાદ હવે બુલંદશહેરમાં 2 સાધુઓની ગળું ચીરીને હત્યા કરાઈ, એક યુવકની અટકાયત

બુલંદશહેર: મહારાષ્ટ્રના પાલઘર બાદ હવે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 2 સાધુઓની ગળું ચીરીને હત્યા કરી નાખવાનો મામલો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં આવેલા રૂમમાંથી બંને સાધુઓની લાશ  લોહીથી લથપથ જોવા મળ્યાં. ઘટના અનૂપશહેર પોલીસ સ્ટેશન વિસ્તારના પગોના ગામની છે. 

પોલીસે શકના આધારે ગામના એક યુવકની અટકાયત કરી છે. યુવક ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું કહેવાય છે. યુવક અને સાધુઓ વચ્ચે ગઈ કાલે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટના બાદ બુલંદશહેરના એસએસપી સહિત પોલીસના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બારીકાઈથી તપાસ હાથ ધરી. પોલીસે પ્રાથમિક તપાસમાં આ હત્યામાં ગામના જ નશેડી યુવાન મુરારીનું નામ સામે આવ્યું છે. 

બુલંદશહેર પોલીસનો દાવો છે કે અટકાયતમાં લેવાયેલો મુરારી લાંબા સમયથી ભાંગનો નશો કરે છે. આરોપી પર બે દિવસ અગાઉ બાબાનો ચિપિયો ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આરોપ છે કે આ વાતને લઈને મૃતક સાધુઓ અને આરોપી મુરારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને લીધે આરોપી મુરારીએ બંને સાધુઓને અંજામ ભોગવવાની ધમકી પણ આપી હતી. 

જુઓ LIVE TV

પોલીસ અધિકારીઓનો દાવો છે કે આરોપી પોલીસ અટકાયતમાં છે અને આરોપી હજુ પણ નશાની હાલતમાં છે. હાલ બંને સંતોના પોસ્ટમોર્ટમ થઈ રહ્યાં છે. જ્યારે ઘટનાસ્થળની પણ ફોરેન્સિક તપાસ થઈ છે. બુલંદશહેર પોલીસના ટોચના અધિકારીઓ મુરારીની તપાસ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news