Astro Tips For Morning: સવારે કરવામાં આવેલો ગાયનો આ ઉપાય ચમકાવી દેશે કિસ્મત, જીંદગીમાં સતાવશે નહી કોઇ દુખ

Astro Tips For Cow: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે જીવનમાં તેને દરેક્ષ ક્ષેત્રમાં સફળતા મળે. તે ઉંચાઇઓને આંબી લે. પરંતુ ઘણીવાર વ્યક્તિનું નસીબ તેને સાથ આપતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં ગાય સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. 

Astro Tips For Morning: સવારે કરવામાં આવેલો ગાયનો આ ઉપાય ચમકાવી દેશે કિસ્મત, જીંદગીમાં સતાવશે નહી કોઇ દુખ

Cow Jyotish Upay: હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. એવામાં જો વ્યક્તિ નિયમિત રૂપથી ગાય સાથે જોડાયેલા ઉપાય અપનાવી લે તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર ગાયની પૂજા કરવામાં આવે અને તેની સાથે જોડાયેલા ઉપાય કરી લેવામાં આવે તો જીવનમાં ખુશીઓ આવે છે અને સૌભાગ્યની પ્રાપ્તી થાય છે. આજે અમે કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જેને દરરોજ કરવાથી તમારા દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. 

હિંદ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હિંદુ ધર્મના અનુસાર જો નિયમિત રૂપથી ગાયની સેવા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સનાતમ ધર્મમાં માનવામાં આવ્યું છે કે ગાય સાથે જોડાયેલી દરેક વસ્તુ જેમકે દૂધ, ગૌમૂત્ર, છાણ વગેરેને પણ ગાય જેટલું જ શુભ ગણવામાં આવે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરરોજ સવારે ગાય સાથે જોડાયેલા કેટલાક ઉપાય વ્યક્તિ કરી લેશે તો તેના જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સાથે જ દરેક દુખ દુર્દ દૂર થઇ જશે. 

દરરોજ કરો ગાય સાથે જોડાયેલા આ જ્યોતિષ ઉપાય
- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરરોજ સવારે સ્નાન કર્યા બાદ ગાયની પૂજા કરવી જોઇએ. તેનાથી તમામ દેવી-દેવતાઓના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે.
- કહેવામાં આવે છે કે ગાયની પૂજા કરનાર વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની તંગનો સામનો કરવો પડશે નહી. જે લોકો આમ કરે છે માતા લક્ષ્મી તેમનાથી પ્રસન્ન રહે છે અને ખૂબ ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
- બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી વ્યક્તિના જીવનમાં કોઇ સંકટ આવતું નથી. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહણ પણ મજબૂત થાય છે. 
- કહેવામાં આવે છે કે ગાયની પીઠ પર ઉપસેલા ભાગને પંપાળવાથી વ્યક્તિ રોગોથી બચે છે. કહેવામાં આવે છે કે આ સ્થાન સૂર્ય-કેતૂ નાડી હોય છે. જે વ્યક્તિના સ્વાસ્થને મજબૂત કરે છે.
- જો કોઇ જાતકની કુંડળીમાં ગ્રહ નબળા છે અને અશુભ ફળ આપી રહ્યા છે, તો એવામાં કાળી ગાયની પૂજા કરવી જોઇએ. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે. સાથે જ વ્યક્તિને દુશ્મનો પર જીત મળે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી)

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news