બુલંદશહેર હિંસામાં પોલીસનું આખી રાત સર્ચ ઓપરેશન, 2 લોકોની ધરપકડ

ઉપદ્રવી ટોળાએ ઇન્સપેક્ટર સુબોધ કુમારની સરકારી રિવોલ્વર પણ લૂટી લીધી હતી, દાદરી કાંડના હતા તપાસ અધિકારી

બુલંદશહેર હિંસામાં પોલીસનું આખી રાત સર્ચ ઓપરેશન, 2 લોકોની ધરપકડ

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં મેરઠ મંડળના બુલંદશહેર જનપદમાં સોમવારે ઉપદ્રવી ટોળા દ્વારા આચરવામાંઆવેલી હિંસા દરમિયાન સ્યાના પોલીસ સ્ટેશનનાં ઇન્સપેક્ટરની હત્યા બાદ યુપી પોલીસ હરકતમાં આવી હતી. ગત્ત આખી રાત સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિવિધ સ્થળે પાડેલા દરોડા દરમિયાન પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી છે, જેમાં 7થી8 લોકોનાં નામ છે. મળતી માહિતી અનુસાર આ તમામ લોકોની ઓળખ થઇ ચુકી છે. તે ઉપરાંત અન્ય લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. 

હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને 2ની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે 27 વોન્ટેડ છે. આ ઉપરાંત 60 અજાણ્યા લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઇ છે. 28 લોકોની ઓળખ થઇ ચુકી છે. આ ઉપરાંત હજી પણ અનેક લોકોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મુદ્દે બે ફરિયાદ દાખલ કરી છે. જેમાં એક ગૌહત્યા મુદ્દે જ્યારે બીજી ફરિયાદ વિરોધ પ્રદર્શન મુદ્દે દાખલ થઇ છે.

બીજી તરફ ઇન્સપેક્ટર સુબોધનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે ઇન્સપેક્ટરનું મોત ગોળી લાગવાનાં કારણે થયું છે. બુલંદ શહેરનાં ડીએમ દ્વારા પણ તેની પૃષ્ટી કરવામાં આવી કે ઇન્સપેક્ટરનાં માથામાં ગોળી વાગી હતી. 

રિપોર્ટમાં તે વાત પણ સામે આવી કે ઉપદ્રવીએ શહીદ સુબોધ કુમારની સરકારી પિસ્તોલ પણ લુટીને લઇ ગયા હતા. જિલ્લામાં હાલ તણાવની પરિસ્થિતીને જોતા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ સવારે પોલીસ લાઇનમાં શહીદ ઇન્સપેક્ટર સુબોધ કુમારને અંતિમ સલામી આપવામાં આવી હતી.આ દરમિયાન પ્રદેશનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલી બાદ શહીદ ઇન્સપેક્ટરનાં પાર્થિવ શરીરને એટા જિલ્લાનાં તેમનાં પૈતૃક તામ તરગવાં ખાતે લઇ જવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, શહીદ પોલીસ ઇન્સપેક્ટર દાદરીનાં બિસાહડા કાંડમાં તપાસ અધિકારી પણ રહી ચુક્યા છે. તેઓ અખલાક હત્યા સમયે જારચા પોલીસ સ્ટેશનમાં ઇન્સપેક્ટર તરીકે ફરજંદ હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સોમવારે થયેલી હિંસા અંગે દુખ વ્યક્ત કર્યું. આ ઘટનામાં શહીદ પોલીસ ઇન્સપેક્ટરનાં પરિવારને કુલ 50 લાખનાં વળતર અને સરકારી નોકરીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ બે દિવસની અંદર તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news