ચંદ્રયાન-2 લોન્ચિંગ: મિશનની આ 15 મિનિટ સૌથી કપરો સમય, બધાના શ્વાસ અધ્ધર થઈ જશે

આ મિશનનો સૌથી તણાવવાળો અને કપરો સમય ગણવો હોય તો તે ચંદ્ર પર લેન્ડિંગ અગાઉના 15 મિનિટ હશે. ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે લેન્ડિંગ પહેલાની છેલ્લી 15 મિનિટ ખુબ જ પડકારજનક રહેશે.

ચંદ્રયાન-2 લોન્ચિંગ: મિશનની આ 15 મિનિટ સૌથી કપરો સમય, બધાના શ્વાસ અધ્ધર થઈ જશે

નવી દિલ્હી: ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 ગણતરીના કલાકોમાં લોન્ચ થશે. ખુબ જ કપરાં મિશનના લક્ષ્ય સુધી પહોંચવું એ કોઈ ચમત્કારથી જરાય કમ નથી. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચિંગ બાદ મિશનને ચંદ્ર સુધી પહોંચવામાં 40 દિનથી પણ વધુ સમય લાગશે. આ મિશનનો સૌથી તણાવવાળો અને કપરો સમય ગણવો હોય તો તે ચંદ્ર પર લેન્ડિંગ અગાઉના 15 મિનિટ હશે. ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે લેન્ડિંગ પહેલાની છેલ્લી 15 મિનિટ ખુબ જ પડકારજનક રહેશે. કારણ કે તે સમયે અમે કઈંક એવું કરીશું કે જે અત્યાર સુધી ક્યારેય કર્યું નથી. અત્રે જણાવવાનું કે 15 જુલાઈના રોજ ક્રાયોજેનિક એન્જિનમાં લીકેજના કારણે ચંદ્રયાન 2નું લોન્ચિંગ ટળી ગયું હતું. ત્યારબાદ ઈસરોએ લોન્ચિંગની નવી તારીખ 22 જુલાઈ બપોરે 2:43 કલાકનો સમય નક્કી કર્યો છે. 

છેલ્લી 15 મિનિટ ખુબ પડકારજનક
ઈસરો ચીફ સિવને કહ્યું કે ચંદ્રની સપાટીથી 30 કિલોમીટર દૂર ચંદ્રયાન-2ના લેન્ડિંગ માટે તેની સ્પીડ ઓછી કરાશે. વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતારવાનું કામ ખુબ જ મુશ્કેલ રહેશે. આ દરમિયાન 15 મિનિટ ખુબ પડકારજનક સાબિત થશે. અમે પહેલીવાર સોફ્ટ લેન્ડિંગ કરીશું. આ તણાવની ક્ષણ ફક્ત ઈસરો જ નહીં પરંતુ બધા ભારતીયો માટે હશે. ભારત જેવું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે કે તે દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ વિશેષતા છે. 

ચંદ્રની સપાટી સ્પર્શતા પહેલા શું થશે?
ધરતી અને ચંદ્રમા વચ્ચેનું અંતર લગભગ 3 લાખ 84 હજાર કિલોમીટર છે. લોન્ચિંગ બાદ ચંદ્ર માટે લાંબી મુસાફરી શરૂ થશે. ચંદ્રયાન-2માં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રમા સુધી જશે. ચંદ્રની સપાટી પર ઉતરવાના 4 દિવસ પહેલા રોવર 'વિક્રમ' ઉતરણની જગ્યાની સમીક્ષા કરવાનું શરૂ કરશે અને ત્યારબાદ 6-8 સપ્ટેમ્બરની વચ્ચે લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. લેન્ડિંગ બાદ લેન્ડર (વિક્રમ)નો દરવાજો ખુલશે અને તે રોવર (પ્રજ્ઞાન)ને રિલીઝ કરશે. રોવર નીકળવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે. ત્યારબાદ તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની સપાટી પર નીકળી જશે. તેના 15 મિનિટની અંદર જ ઈસરોને લેન્ડિંગની તસવીરો મળવાનું શરૂ થઈ જશે. 

જુઓ LIVE TV

સ્વદેશી ટેક્નોલોજીથી બનેલા ચંદ્રયાન-2માં કુલ 13 પેલોડ છે. આઠ ઓર્બિટરમાં, 3 પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવર પ્રજ્ઞાનમાં છે. પાંચ પેલોડ ભારતના, 3 પેલોડ યુરોપ, 2 અમેરિકા અને એક બલ્ગેરિયાના છે. લોન્ચિંગના લગભગ 16 મિનિટ બાદ જીએસએલવી એમ કે તૃતીય ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે. લેન્ડર વિક્રમનું નામ ભારતીય અંતરીક્ષ અનુસંધાન કાર્યક્રમના જનક ડો. વિક્રમ સારાભાઈના નામ પર રખાયું છે. બીજી બાજુ 27 કિલોગ્રામ 'પ્રજ્ઞાન'નો અર્થ સંસ્કૃતમાં 'બુદ્ધિમતા' છે.  ઈસરો ચંદ્રયાન-2ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ઉતારશે. 

બાહુબલી જીએસએલવી માર્ક-3થી થશે લોન્ચિંગ
4 ટનનો ભાર (પેલોડ) લઈ જવાની પોતાની ક્ષમતાના કારણે બાહુબલી કહેવાતા જીએસએલવી માર્ક 3 રોકેટે જીસેટ-29 અને જીસેટ-19 જેવા ઉપગ્રહોનું સફળ લોન્ચિંગ  કર્યું છે. અંતરીક્ષ એજન્સીએ આ રોકેટનો ઉપયોગ કરતા ક્રુ મોડ્યુલ વાયુમંડળીય પુર્નપ્રવેશ પરીક્ષણ (કેર)ને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. ઈસરોના પ્રમુખ કે.સિવનના જણાવ્યાં મુજબ અંતરીક્ષ એજન્સી ડિસેમ્બર 2021 માટે નિર્ધારીત પોતાના માનવ અંતરીક્ષ ઉડાણ કાર્યક્રમ 'ગગનયાન' માટે પણ જીએસએલવી માર્ક 3 રોકેટનો ઉપયોગ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news