રાહુલ ફરી બેફામ કહ્યું, અડવાણીજીને લાત મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા

લોકસભા ચૂંટણી 2019માં પ્રચાર જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ ભાષાની મર્યાદાઓ તુટી રહી છે

રાહુલ ફરી બેફામ કહ્યું, અડવાણીજીને લાત મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સાધવાના ચક્કરમાં ભાષાની મર્યાદા તોડી બેઠા હતા. ઉતરાખંડના હરિદ્વારમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.  તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી ધર્મની વાત કરે છે. હિંદુ ધર્મમાંસૌથી જરૂરી વસ્તુ ગુરૂ હોય છે. અડવાણીજી નરેન્દ્ર મોદીનાં ગુરુ છે. અડવાણીજી પરિસ્થિતી જોતાની સાથે જ તમે અડવાણીજીને સ્ટેજ પરથી લાત મારીને ઉતારી દેવામાં આવ્યા છે. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગંગા કિનારે આવેલ પંતદ્વીપ મેદાનમાં હરિદ્વારથી લોકસભા ઉમેદવાર  અંબરીશ કુમાર ના સમર્થનમાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, નીરવ મોદી અનેક લાખ લઇને ભાગી ગયા.  ત્યાર બાદ રાહુલ ગાંધીએ રેલીમાં ચોકીદાર ચોર છેનાં નારા લગાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ પુછે છે કે ન્યાય યોજના માટે પૈસા ક્યાંથી આવશે. ન્યાય યોજનાના પૈસા અનિલ અંબાણી જેવા ચોરોના ખીચામાંથી આવશે. 72 હજાર રૂપિયા અંબાણીની તિજોરીમાંથી લાવીને આપશે.

સુષ્મા સ્વરાજે ભાષા પર સંયમ રાખવાની સલાહ આપી હતી
અગાઉ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની રેલીમાં અડવાણી માટે  આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ અડવાણીને જુતા મારીને મંચ પરથી ઉતારી દીધા. ત્યારે તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ અડવાણીને જુતા મારીને મંચથી ઉતારી દીધા.  આ અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી હતી. ખાસ કરીને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news