Lal krishna advani News

અમિત શાહના આવવાથી કોઈ ફેરફાર નહિ પડે : સી.જે. ચાવડા
ગાંધીનગર લોકસભા પર અમિત શાહ સામે સી.જે ચાવડાની ટક્કર થવાની શક્યતા છે. કોગ્રેસ વતી ગાંધીનગર બેઠક માટે સીજે ચાવડા નામની જાહેરાત આજે સાંજે કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, અમિત શાહ જેવા દિગ્ગજ નેતા સીજે ચાવડા આવતાં જંગ એક તરફી થશે. ૧૯૮૯થી ગાંધીનગર બેઠક ભાજપાનો અજેય ગઢ ગણાય છે, ત્યારે સી જે ચાવડા માટે ગાંધીનગર બેઠક લોઢાના ચણા ચાવવા સમાન છે. ત્યારે આ વિશે વાતચીત કરતા તેમણે કહ્યું કે, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસવતી હું જ લડીશ. અમિત શાહના આવવાથી કોઈ ફેરફાર નહિ પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની આજે ગુજરાતની કફોડી હાલત છે. આવનાર દિવસોમાં મત વિસ્તારમાં કોંગ્રેસના વિચારો ને પહોંચાડી રહ્યા છીએ. રાત્રિ સભાઓની શરૂઆત કરી છે. શક્તિ પ્રોજેકટ હેઠળ તમામ કાર્યકર્તા લોકો સુધી પહોંચી રહ્યા છે.
Mar 22,2019, 14:45 PM IST
ગાંધીનગર સીટની જાહેરાત બાદ રાજકોટવાસીઓએ શું કહ્યું, જુઓ Videoમાં
Mar 22,2019, 14:40 PM IST
જે ગાંધીનગર સીટની બોલબાલા છે, તેના પર ક્યારેક વાજપેયી અને સુપરસ્ટાર રાજેશ
લોકસભા ચૂંટણીમાં માસ્ટરસ્ટ્રોક ફટકારતા ભાજપે ગાંધીનગરથી મેદાનમાં ઉતાર્યા છે અમિત શાહને. છેલ્લી 5 ટર્મથી ગાંધીનગરના સાંસદ અડવાણીની ટિકિટ કાપીને અમિત શાહની પસંદગી કરાઈ છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક જીતવાની રણનીતિના ભાગરૂપે જ ભાજપે અમિત શાહ સ્વરૂપે ફટકાર્યો છે પહેલો ઘા રાણાનો. અમિત શાહના કારણે ગુજરાત ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો નવો દોરીસંચાર થશે. ગાંધીનગર બેઠક માટે જ્યારે નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા હતા, તો કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી. તમામ કાર્યકરોની એક જ માગ હતી કે ગાંધીનગરમાં અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવે અને કાર્યકરોની માગને સ્વીકારતા ભાજપે નિર્ણય પણ આવો જ લીધો. સંભાવના એવી છે કે અમિત શાહ હવે ભાજપ સંગઠનના બદલે સરકારમાં જોડાશે. અમિત શાહ આખા દેશમાં ભાજપનો પ્રચાર કરી શકે અને પોતે જ્યાંથી લડતા હોય તે બેઠકમાં વધુ તકલીફ ન પડે એટલે પણ ગાંધીનગર પર પસંદગી ઉતારાઈ છે.
Mar 22,2019, 9:13 AM IST

Trending news