PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદન, 'કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી'

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે.

PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદન, 'કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી'

નવી દિલ્હી: પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની નિગરાણી કરે છે. 

PMC घोटाले पर वित्त मंत्री का बयान, 'को-ऑपरेटिव बैंक से सरकार कोई लेना-देना नहीं, RBI करती है निगरानी'

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ કાર્યાલયમાં પત્રકારોને સંબોધતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમસી બેંક કૌભાંડના પીડિતો સાથે વાત થઈ છે. આરબીઆઈ આ મામલે અભ્યાસ કરી રહી છે. મંત્રીએ જણાવ્યું કે બેંકિંગ સચિવ આ સમગ્ર મામલાની જાણકારી લેશે. તેને લઈને અન્ય મંત્રાલયો સાથે પણ સંપર્ક કરવામાં આવશે. 

જુઓ LIVE TV

સીતારમણે કહ્યું કે આ મામલે આજે સાંજે આરબીઆઈના ગવર્નર સાથે બેઠક છે. જરૂર પડ્યે સંસદના શિયાળુ સત્રમાં કો-ઓપરેટિવ બેંકના નિયમોમાં ફેરફાર કરી શકાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news