પંજાબમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી હારશે તો હું રાજીનામુ આપીશ: કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2019માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે.

પંજાબમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી હારશે તો હું રાજીનામુ આપીશ: કેપ્ટન અમરિંદર સિંહ

નવી દિલ્હી/ ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2019માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે.

કેપ્ટન અમરિંદરે ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું કે લોકસભા ચૂંઠણીના પરિણામમાં જો પાર્ટીનો રાજ્યમાં સફયો થયો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઇશ અને રાજીનામું પણ આપી દઇશ. બધા મંત્રી અને ધારાસભ્ય રાજ્યમાં પાર્ટીએ ચૂંટણી પ્રદર્શન માટે જવાબદાર હશે.

પાર્ટીએ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, મંત્રી અને ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવારોની જીત અથવા હાર થવા પર તેના જવાબદાર હશે. હું પણ તે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે, કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા સીટ પર જીતરશે. જણાવી દઇએ કે, આગામી 19 મેના પંજાબમાં મતદાન થશે.

લગભગ એક દશક સુધી શિરોમણી અકાળ દળ અને ભાજપના નેતૃત્વવાળી સરકારે પંજાબમાં સત્તા જમાવી હતી. ત્યારબાદ 2017માં કોંગ્રેસે રાજ્યમાં જીત હાંસલ કરી હતી, જેથી અમરિંદર સિંહ બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news