J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ

કાશ્મીરના બડગામમાં મોટો અકસ્માત થયો છે. બીએસએફ જવાનોની એક બસ ખાઈમાં ખાબકી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 32 બીએસએફ જવાનો ઘાયલ થયા છે જ્યારે 3 જવાનો શહીદ થયા છે.

J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ

કાશ્મીરના બડગામમાં મોટો અકસ્માત થયો છે. બીએસએફ જવાનોની એક બસ ખાઈમાં ખાબકી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 32 બીએસએફ જવાનો ઘાયલ થયા છે જ્યારે 3 જવાનો શહીદ થયા છે. દુર્ઘટના બડગામના બ્રિલ ગામમાં ઘટી. 

આ અગાઉ રાજૌરીમાં મંગળવારે રાતે સેનાનું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડ્યું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. સૂચના મળથા જ સ્થાનિકો સહિત બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં ખસેડ્યા. જેમાં સારવાર દરમિયાન લાંસનાયક બલજીત સિંહનું મોત નિપજ્યું હતું. 

— ANI (@ANI) September 20, 2024

સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારના રોજ સેનાના 4 કમાન્ડો તેમનું વાહન ખાઈમાં પડવાથી ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના સરહદી જિલ્લાના મંજાકોટ વિસ્તારમાં મોડી સાંજે ઘટી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news