LIVE:મહારાષ્ટ્રના મુદ્દે આવતીકાલે 10:30 વાગે આવશે ચૂકાદો: સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.

LIVE:મહારાષ્ટ્રના મુદ્દે આવતીકાલે 10:30 વાગે આવશે ચૂકાદો: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.

જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ સમક્ષ શિવસેના તરફથી વકીલ કપિલ સિબ્બલ, એનસીપી તરફથી અભિષેક મનુ સિંઘવી, દેવેન્દ્વ ફડણવીસ તરફથી મુકુલ રોહતગી રજૂ થયા અને તો બીજી તરફ અજીત પવાર તરફથી પૂર્વ વરિષ્ઠ વકીલ અને પૂર્વ સોલિસિટર જનરલ મનીન્દર સિંહ રજૂ થયા તો કેન્દ્ર એટલે કે રાજ્યપાલ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટરૂમમાં હાજર છે.

- રાજ્યપાલ તરફથી રજૂ થયેલા તુષાર મહેતાએ કહ્યું કે મને બે-ત્રણ દિવસનો સમય આપવામાં આવે, જેથી રિપ્લાઇ ફાઇલ કરવામાં આવી શકે. 

- દેવેન્દ્ર ફડણવીસના વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરતાં કહ્યું કે અજિત પવારે કહ્યું કે અમારું સમર્થન તમારી સાથે છે. તે લોકો હોર્સ ટ્રેડિંગ કરી રહ્યા છે અને અમારી પર આરોપ લગાવી રહ્યા છે. ચૂંટણીમાં અમારી સાથી શિવસેનાએ ચૂંટણી પછી અમારો સાથે છોડી દીધો. પછી એનસીપી આવી અને અમારા સભ્યો 170 થઇ ગયા. રાજ્યપાલે અમને આમંત્રણ આપ્યું. અજિત પવાર અમારી સાથે છે. એક પવાર બીજી તરફ બેસ્યા છે. જેમના પારિવારીક ઝઘડા સાથે અમારે કંઇ લેવાદેવા નથી. આ કેસ યેદુરપ્પા કેસથી અલગ છે. કેસ પર વિસ્તૃત સુનાવણીની જરૂર છે, તેને ઉતાવળમાં પુરો ઉકેલી ન શકાય. 

- તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે દેવેન્દ્વ ફડણવીસ અને અજિત પવારના પત્રના આધારે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાની ભલામણ કરી હતી. 

- ગર્વનરના વકીલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે દેવેંદ્વ ફડણવીસનો પત્ર જેમાં લખવામાં આવ્યું છે. તેમની સાથે NCP ના MLA s ના સાથે 11 અપક્ષોનું સમર્થન છે. અજિત પવાર ધારાસભ્ય દળના નેતા છે. તેમણે પત્ર વાંચ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મને તમામ એનસીપી ધારાસભ્યોનું સમર્થન છે. અમે નક્કી કર્યું છે કે ફડણવીસને સમર્થન આપીશું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન વધુ ન ચાલવું જોઇએ, એટલા માટે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવે.

- તુષાર મેહતાએ કહ્યું કે રાજ્યપાલે પોતાના વિવેકથી સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવી છે, તેમનો પર્યાપ્ત આધાર છે. 

- રાજ્યપાલ દ્વારા રાજૂ કરવામાં આવેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને અજિત પવારનો પત્ર સોંપ્યો જેમાં 54 ધારાસભ્યોના નામ હતા. તેમણે જણાવ્યું કે 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થઇ, 24ના રોજ પરિણામ જાહેર થયા, ભાજપ પાસે 105 સભ્યો છે શિવસેનાના 56 એનસીપીના 54 છે. શિવસેના અને ભાજપની પ્રી પોલ એલાઇન્સ હતી. સૌથી પહેલાં ભાજપને બોલાવવામાં આવી તે બહુમત સાબિત ન કરી શકી ત્યારબાદ શિવસેનાને બોલાવવામાં આવી પરંતુ બહુમત સાબિત ન કરી શકી ત્યારબાદ એનસીપીને બોલાવવામાં આવી હતી. 

- તુષાર મેહતાએ કહ્યું કે શું આર્ટિકલ 32ની અરજીમાં રાજ્યપાલન આદેશને આ પ્રકારના પડકારો આપી શકાય કે નહી? રાજ્યપાલને ખબર હતી કે ચૂંટણી પહેલાનું ગઠબંધન જીત્યું છે. 

- તુષાર મહેતાએ કહ્યું કે રાજ્યપાલે 9 નવેમ્બર સુધી રાહ જોઇ. ભાજપે ના પાડી દીધું. 10 તારીખે શિવસેનાને પૂછ્યું તો તેમણે પણ ના પાડી દીધી. 11ના રોજ એનસીપીએ પણ ના પાડી દીધી તો રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું. ત્યારબાદ કોઇએ સરકાર સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નહી. 

- અજિત પવારનું સમર્થન પત્ર રજૂ થયું, એનસીપીના ધારાસભ્ય દળના નેતા તરીકે જેમાં 54 ધારાસભ્યોના નામ છે. 

- રાજ્યપાલના વકીલ સોલિસીટર જનરલ તુષાર મહેતા ચૂંટણી પરિણામથી અત્યાર સુધી સરકાર બનાવવાનો ઘટનાક્રમ જણાવી રહ્યા છે કે રાજ્યપાલે ક્યારે ક્યારે શું કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news