વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું, દુર્ઘટનામાં પાઈલટનું મૃત્યુ

ભારતીય વાયુસેનાના મિગ 21 (Mig 21) બાઈસન વિમાને સોમવારે સવારે સેન્ટ્રલ ઈન્ડિયાના એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ વિમાનમાં આગ લાગી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું.

વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું, દુર્ઘટનામાં પાઈલટનું મૃત્યુ

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના મિગ 21 (Mig 21) બાઈસન વિમાને સોમવારે સવારે સેન્ટ્રલ ઈન્ડિયાના એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ વિમાનમાં આગ લાગી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ મિગ 21 બાઈસન વિમાન હવામાં જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનના પાઈલટે જીવ ગુમાવ્યો. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ થઈ ગઈ છે. 

સેન્ટ્રલ ભારતના એક વાયુસેના ( Air Force) એરબેસથી મિગ 21 (Mig 21) બાઈસને ઉડાણ ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં એરફોર્સના ગ્રુપ કેપ્ટનનું મોત થયું. વાયુસેનાએ  મૃતક પાઈલટના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી. ઈન્ડિયન એરફોર્સે પોતાના ટ્વિટર હેન્ડલથી આ ઘટનાની જાણકારી શેર કરતા કહ્યું કે 'આજે સવારે અમારું એક મિગ 21 બાઈસન વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ વિમાને સેન્ટ્રલ ઈન્ડિયાના એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન એ ગુપ્તાને ગુમાવ્યા. ભારતીય વાયુસેના કેપ્ટનના પરિવાર પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કરે છે અને આ દુખદ ઘડીમાં તેમના પડખે છે. આ દુર્ઘટનાના કારણની જાણકારી મેળવવા માટે તપાસના આદેશ અપાયા છે.'

— Indian Air Force (@IAF_MCC) March 17, 2021

અગાઉ પણ થયા અનેક વિમાન દુર્ઘટનાગ્રસ્ત
સોમવારે મિગ-21 (Mig 21) બાઈસન વિમાન ક્રેશ થયું તે પહેલા પણ વાયુસેનાના અનેક વિમાન દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યા છે. ભારત સરકારના રક્ષા રાજ્યમંત્રીએ સંસદમાં આ મુદ્દે જાણકારી આપતા કહ્યું હતું કે ઈન્ડિયન એરફોર્સે વર્ષ 2016 બાદથી અનેક ફાઈટર વિમાનો સહિત 27 વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news