શ્રીનગરમાં સુરક્ષાદળોની બસ પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, 12 ઈજાગ્રસ્ત


Srinagar Terrorist Attack On Bus: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયેલા આ હુમલામાં 12 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે.
 

શ્રીનગરમાં સુરક્ષાદળોની બસ પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, 12 ઈજાગ્રસ્ત

શ્રીનગરઃ Srinagar Terrorist Attack On Bus: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 12 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. જ્યારે 2 જવાન શહીદ થયા છે. ઘટનાબાદ ઈજાગ્રસ્ત જવાનોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. 

પ્રાથમિક સૂચના પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે સુરક્ષાદળોની બસ પર બેથી ત્રણ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોથી ભરેલી બસ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ જવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. આ બસમાં જમ્મુ-કાશ્મીર આર્મર્ડ પોલીસની નવમી બટાલિયનના જવાન સફર કરી રહ્યાં હતા. 

(Visuals deferred by unspecified time) pic.twitter.com/IfEXEh3wii

— ANI (@ANI) December 13, 2021

તમને જણાવી દઈએ કે જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં ન માત્ર જમ્મુ કાશ્મીર પોલીસનું ટ્રેનિંગ સેન્ટર છે, પરંતુ સેના અને સીઆરપીએફના ઘણા કેમ્પ છે.

આજે બે આતંકવાદીઓ ઠાર
આજે દિવસે, શ્રીનગરની બહારના ભાગમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ થઈ શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news