આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક અને સાવચેત રહો, ડરો નહીં: રાહુલ ગાંધીએ કોંગ્રેસ કર્યકર્તાઓને કહ્યું

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ની મત ગણતરીથી એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી કોંગ્રેસ કાર્યકર્તાઓના નામે સંદેશ આવ્યો છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે

આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક અને સાવચેત રહો, ડરો નહીં: રાહુલ ગાંધીએ કોંગ્રેસ કર્યકર્તાઓને કહ્યું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ની મત ગણતરીથી એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી કોંગ્રેસ કાર્યકર્તાઓના નામે સંદેશ આવ્યો છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. પોતાની પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહીં જાય. સાથે જ તેમણે કહ્યું કે, એક્ઝિટ પોલના આંકડા ખોટા ગણાવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટમાં લખ્યું કે, કોંગ્રેસ પાર્ટીના પ્રિય કાર્યકર્તાઓ... આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. સતર્ક અને સાવચેત રહો. ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યાં છો. ખોટા એક્ઝિટ પોલનો દુષ્ટ પ્રચારથી નિરાશ ના થાઓ. પોતના અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહીં જાય. જય હિન્દ.

अगले 24 घंटे महत्वपूर्ण हैं। सतर्क और चौकन्ना रहें। डरे नहीं। आप सत्य के लिए लड़ रहे हैं । फर्जी एग्जिट पोल के दुष्प्रचार से निराश न हो। खुद पर और कांग्रेस पार्टी पर विश्वास रखें, आपकी मेहनत बेकार नहीं जाएगी।

जय हिन्द।

राहुल गांधी

— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2019

તે પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓના નામે એક ઓડિયો જાહેર કર્યો હતો. તમામ મુખ્ય ચેનલો દ્વારા પ્રસારિક એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને બહુમત મળ્યાના અનુમાન લગાવવામાં આવી રહ્યું હોવાની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગત સોમવારે પાર્ટીના કાર્યકર્તાઓનું આહવાન કર્યું હતું કે, અફવાઓ તેમજ એક્ઝિટ પોલ પર ધ્યાન ના આપો, અને સ્ટ્રોંગ રૂમ તથા મત ગણતરી કેન્દ્રોના પર ધ્યાન આપો.

કાર્યકર્તાઓને મોકલેલા ઓડિયો સંદેશમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, તમે લોકો, અફવાઓ અને એક્ઝિટ પોલથી હિંમત ના હારો. આ અફવાઓ તમારો હોસલો તોડવા માટે ફેલાવવામાં આવી છે. આ વચ્ચે તમારી સાવધાની વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો પર ધ્યાન આપો અને સાવચેત રહો. તેમણે કહ્યું કે, અમને પૂરી આશા છે કે, અમારી અને તમારી મહેનતનું ફળ મળશે.

ઉલ્લેખનીય છે કે, 19 મે આવેલા બધા જ મુખ્ય એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news