'જો સારા રસ્તા જોઇએ તો પૈસા આપવા પડશે', આવું કેમ બોલ્યા નિતિન ગડકરી

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ ગુરૂવારે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચાર્જ વિશે પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે લોકોને સારા રસ્તા અને સારી સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે. સાથે જ તેમણે જણાવ્યું કે એક્સપ્રેસવે બનતાં જ યાત્રાના સમયે અને ઇંધણની લાગતને ઓછી કરવામાં કેવી રીતે મદદ મળે છે. 

'જો સારા રસ્તા જોઇએ તો પૈસા આપવા પડશે', આવું કેમ બોલ્યા નિતિન ગડકરી

સોહના: કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ ગુરૂવારે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચાર્જ વિશે પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે લોકોને સારા રસ્તા અને સારી સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે. સાથે જ તેમણે જણાવ્યું કે એક્સપ્રેસવે બનતાં જ યાત્રાના સમયે અને ઇંધણની લાગતને ઓછી કરવામાં કેવી રીતે મદદ મળે છે. 

ભાગીદારીથી કામ કરો ખેડૂત
કેંદ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) પ્રોજેક્ટની સ્થિતિનું આકલન કરીને અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા (NHAI) ના અધિકારીઓને સુધારના ઉપાય માટે ગુરૂવારે સોહના પહોંચ્યા હતા. સોહનામાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે (DME) ની પ્રગતિની સમીક્ષા કરતાં, નિતિન ગડકરીએ કહ્યું કે જે ખેડૂતો પાસે એક્સપ્રેસવેની નજીકની જમીન છે, તેમને પોતાની જમીનનને ડેવલપર્સને વેચવી ન જોઇએ. તેના બદલે ડેવલપર્સ સાથે પાર્ટનરશિપ કરવી જોઇએ અને રસ્તા કિનારે સુવિધાઓનું નિર્માણ કરવું જોઇએ. 

'AC હોલ માટે પણ આપે છે પૈસા'
ટોલ ચાર્જના કારણે મુસાફરી ખર્ચમાં વધારા સંબંધમાં ગડકરી કહ્યું કે 'જો તમે એક 'AC હોલનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે તેના માટે ચૂકવણી કરવી જોઇએ. અન્યથા, તમારે ખુલ્લા મેદાનમં પણ લગ્નની વ્યવસ્થા કરી શકો છો. 

DME થી વધશે વ્યવસાય
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ પર વાત કરતે વખતે નિતિન ગડકરીએ કહ્યું કે આ એક્સપ્રેસવે, મુસાફરીના સમય ઘટાડીને 12 કલાક કરી દેશે. હાલ એક ટ્રકને દિલ્હીથી મુંબઇ પહોંચાડવામાં 48 કલાકનો સમય લાગે છે. પરંતુ આ એક્સપ્રેસવે પર ફક્ત 18 કલાક લાગશે. તેનો અર્થ એ છે કે એક ટ્રક વધુ મુસાફરી કરવામાં સક્ષમ રહેશે, જેથી વ્યવસાયમાં વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news