જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર આવ્યાં J&K

દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગે રાજૌરી પહોંચ્યા. અહીં એલઓસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દીવાળીનો તહેવાર ઉજવશે. આ વખતે વડાપ્રધાન સતત છઠ્ઠા વર્ષે સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ખાસ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યાં છે. આ અગાઉ તેમણે આજે દિવાળીના અવસરે સવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી. 

જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર આવ્યાં J&K

નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગે રાજૌરી પહોંચ્યા. અહીં એલઓસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દીવાળીનો તહેવાર ઉજવશે. આ વખતે વડાપ્રધાન સતત છઠ્ઠા વર્ષે સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ખાસ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યાં છે. આ અગાઉ તેમણે આજે દિવાળીના અવસરે સવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી. 

વર્ષ 2018માં પીએમ મોદીએ ભારત ચીન સરહદે તૈનાત આઈટીબીપીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દૂર દૂરના વિસ્તારોમાં બર્ફિલા પહાડો પર ડ્યૂટી કરવાની તેમની લગન રાષ્ટ્રની તાકાતને વધુ મજબુત બનાવે છે. ભારત ચીન સરહદે હર્ષિલ છાવણી વિસ્તારમાં જવાનોને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાને કહ્યું કે તેઓ પોતાની પ્રતિબદ્ધતા અને અનુશાસન દ્વારા 125 કરોડ ભારતીયોના સપના તથા ભવિષ્ય સુનિશ્ચિત કરે છે અને લોકોમાં સુરક્ષા અને નિડરતાના ભાવ પેદા કરવામાં મદદ કરે છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની હાજરીમાં સૈનિકોને કહ્યું હતું કે તમે અમારી માત્ર જમીનના એક ખૂણાની રક્ષા નથી કરતા. દેશની સરહદોની સુરક્ષા કરીને તમે 125 કરોડ ભારતીયોના સપના અને જિંદગીઓની પણ સુરક્ષા કરી રહ્યાં છો. 

પીએમ મોદીએ 2017માં વડાપ્રધાન તરીકે પોતાની ચોથી દિવાળી જમ્મુ કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે મનાવી હતી. આ અગાઉ વર્ષ 2016માં પીએમ મોદી હિમાચલ પ્રદેશ ગયા હતાં. જ્યાં તેમણે આઈટીબીપી પોલીસના જવાનો સાથે એક સુરક્ષા ચોકી પર સમય વીતાવ્યો હતો. વર્ષ 2015માં તેઓ દિવાળી પર પંજાબ સરહદે ગયા હ તાં અને વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ દિવાળી સિયાચિનમાં જવાનો સાથે વીતાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news