નાઇટ કર્ફ્યૂને 'કોરોના કર્ફ્યૂ' કહો, સતત વધતા કેસ ચિંતાનો વિષયઃ PM Modi

PM Narendra Modi meeting with states CM on Corona: બેઠકમાં હાજર ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. આ માટે તત્કાલ ઉપાયની જરૂર છે. તેમણે કહ્યું કે, દેશમાં 9 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયું છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવશે. 

નાઇટ કર્ફ્યૂને 'કોરોના કર્ફ્યૂ' કહો, સતત વધતા કેસ ચિંતાનો વિષયઃ PM Modi

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) પર આખરે પ્રહાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાયા છે. પીએમ મોદીની સાથે બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ સામેલ છે. 

બેઠકમાં હાજર ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. આ માટે તત્કાલ ઉપાયની જરૂર છે. તેમણે કહ્યું કે, દેશમાં 9 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયું છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવશે. 

શું બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રીએ બેઠક બાદ જનતા પાસે કોરોનાના બચાવ માટે સૂચનો માંગ્યા છે. તેમણે કહ્યું કે, એકવાર ફરી પડકારજનક સ્થિતિ બની રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, ઘણા રાજ્યોમાં પડકાર વધી રહ્યો છે. આપણે ગવર્નંસ પર ભાર આપવો પડશે. પીએમ મોદીએ કહ્યુ કે, દેશ ફર્સ્ટ વેવની પીકને ક્રોસ કરી ચુક્યો છે અને સંક્રમણ પહેલા કરતા વધુ છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણા બધા માટે ચિંતાનો વિષય છે. આ વખતે લોકો પહેલાની અપેક્ષાએ વધુ કૈજુઅલ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, ફરી યુદ્ધ સ્તર પર કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યુ કે, જનભાગીદારીની સાથે આપણા ડોક્ટર આજે પણ સ્થિતિને સંભાળવામાં લાગેલા છે. 

માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફોકસ જરૂરી
પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાભરમાં રાત્રી કર્ફ્યૂનો સ્વીકાર કરવામાં આવો છે, તેને નાઇટ કર્ફ્યૂની જગ્યાએ કોરોના કર્ફ્યૂના રૂપમાં યાદ રાખવુ જોઈએ. તેમણે કહ્યુ કે, કોરોનાને અટકાવવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફોકસ જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ ઉપાય હાજર છે. હવે વેક્સિન પણ છે. પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, પહેલાના મુકાબલે હવે લોકો વધુ કેયરલેસ થઈ રહ્યાં છે. 

ટેસ્ટિંગ-ટ્રેકિંગ ખુબ જરૂરી
પીએમ મોદીએ કહ્યુ કે, આપણે ટેસ્ટિંગ પર ધ્યાન આપવું પડશે. શરૂઆતી લક્ષણ હોય તો સીધા ડોક્ટર પાસે જાવ. તેમણે કહ્યું કે, કોરોના એક એવી વસ્તુ છે જ્યાં સુધી તમે લઈને આવશે નહીં ત્યાં સુધી આવશે નહીં. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવા પડશે. આપણે ગમે તેમ કરી પોઝિટિવિટી રેટને 5 ટકાથી નીચે લાવવો છે. 

રસીકરણ ઉત્સવ મનાવો
પીએમ મોદીએ કહ્યુ કે, 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ મનાવો. તેમણે કહ્યું કે, હજુ સંપૂર્ણ લૉકડાઉનની જરૂર નથી. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, કોવિડ-19નો મોટો ભાગ વેક્સિન મેનેજમેન્ટ વેસ્ટેજનો રોકવાનો પણ છે. તેમણે કહ્યુ કે, 10 ટકા વેક્સિન લગાવવાનો પ્રયાસ થાય.  પીએમ મોદીએ કહ્યુ કે, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર અને ઓક્સીજનની પણ સમીક્ષા કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news