શિવસેના નેતા સંજય રાઉતને છાતીમાં દુઃખાવો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

શિવસેના નેતા સંજય રાઉતને છાતીમાં દુઃખાવો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સાથે ગઠબંધન તોડીને સરકાર બનાવવાની તૈયારીમાં છે. સરકારની રચના બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

સંજય રાઉતને હૃદયમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં લઈ જવાયા છે. હોસ્પિટલમાં ડોક્ટરોએ સંજય રાઉતની એન્જિયોગ્રાફી કરી છે. સંજય રાઉત અત્યારે ડો. મેથ્યુ અને ડો. મેનનની દેખરેખ હેઠળ છે. એન્જિયોગ્રાફીનો રિપોર્ટ આવી ગયા પછી ઈલાજ નક્કી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સંજય રાઉત જ રાજ્યમાં શિવસેનાની સરકાર રચાય તેના માટે ભાગદોડ કરી રહ્યા છે. સોમવારે સંજય રાઉતે જ જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોંગ્રેસ અને એનસીપીના ટેકા સાથે શિવસેના સરકાર બનાવશે.  તેમની જાહેરાત પછી કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી રહેલા શિવસેનાના નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તુટી ગયું છે. 

બીજી તરફ એનસીપીના નેતા નવાબ મલિકે પણ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી છે કે, તેઓ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેના પર કોંગ્રેસની સહમતિ પછી જ અંતિમ નિર્ણય લેવાશે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news