અરુણ જેટલીના નિધનથી રાજકારણમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં: ડો. સુભાષ ચંદ્રા

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. પોતાના શોક સંદેશમાં તેમણે લખ્યું છે કે હું અરુણ જેટલીજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમના નિધનથી રાષ્ટ્રીય રાજકારણમાં જે જગ્યા ખાલી પડી છે તેને ક્યારેય ભરી શકાશે નહીં. હું તેમના આત્મા માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. 
અરુણ જેટલીના નિધનથી રાજકારણમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરી શકાશે નહીં: ડો. સુભાષ ચંદ્રા

નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. પોતાના શોક સંદેશમાં તેમણે લખ્યું છે કે હું અરુણ જેટલીજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમના નિધનથી રાષ્ટ્રીય રાજકારણમાં જે જગ્યા ખાલી પડી છે તેને ક્યારેય ભરી શકાશે નહીં. હું તેમના આત્મા માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. 

ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ આજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેમને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સ તરફથી બહાર  પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ અરુણ જેટલીનું નિધન શનિવારે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ્સના વરિષ્ઠ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતાં. છેલ્લા દિવસોમાં જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન(IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. તેમની ઉંમર 66 વર્ષ હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અરુણ જેટલીનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન છે. મેં તેમના સ્વરૂપે એક મિત્ર ગુમાવ્યો છે. અરુણ જેટલીજી રાજકીય દિગ્ગજ હતાં. તેમણે અરુણ જેટલીના પત્ની અને પુત્ર સાથે ફોન પર વાત કરી. અરુણ જેટલીના પરિવારે અપીલ કરી છે કે પીએમ મોદી પોતાનો વિદેશ પ્રવાસ રદ ન કરે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે ગયાં છે. 

જુઓ LIVE TV

ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીના નિધનના સમાચાર જાણીને ગૃહ મંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પોતાનો હૈદરાબાદનો પ્રવાસ અધવચ્ચે પૂરો કરીને દિલ્હી પાછા ફરી રહ્યાં છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની સહિત અન્ય નેતાઓએ અરુણ જેટલીના નિધન પર શોક જતાવ્યો છે. પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો. કોંગ્રેસ તરફથી પણ શોક વ્યક્ત કરાયો છે. 

અમિત શાહે કહ્યું કે અરુણ જેટલીજીના નિધનથી મને ઊંડો આઘાત લાગ્યો છે. અમે એક વરિષ્ઠ પાર્ટી નેતા જ નથી ગુમાવ્યાં પરંતુ એક એવા મહત્વપૂર્ણ કૌટુંબિક સભ્ય ગુમાવ્યાં છે જે હંમેશા મારા માટે માર્ગદર્શક રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news