Mamata Banerjee ની ઈજા પર TMC નેતાનું ભડકાઉ નિવેદન, કહ્યું- જો ગુજરાતમાં થયું હોત તો 'ગોધરા કાંડ' થઈ જાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ની ઈજા પર ભડકાઉ ભાષણ આપતા ટીએમસી (TMC) નેતા મદન મિત્રા (Madan Mitra) એ કહ્યું કે જો આ ઘટના ગુજરાતમાં ઘટી હોત તો 'ગોધરા કાંડ' થઈ ગયો હોત. મિત્રાએ કહ્યું કે જે પ્રકારે તેમને ધક્કા મારવામાં આવ્યા, આ એક સારા ટ્રેઈન્ડ વ્યક્તિનું કામ છે. હું ઈચ્છું છું કે નવા DG ને હટાવવામાં આવે. 

Mamata Banerjee ની ઈજા પર TMC નેતાનું ભડકાઉ નિવેદન, કહ્યું- જો ગુજરાતમાં થયું હોત તો 'ગોધરા કાંડ' થઈ જાત

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ની ઈજા પર ભડકાઉ ભાષણ આપતા ટીએમસી (TMC) નેતા મદન મિત્રા (Madan Mitra) એ કહ્યું કે જો આ ઘટના ગુજરાતમાં ઘટી હોત તો 'ગોધરા કાંડ' થઈ ગયો હોત. મિત્રાએ કહ્યું કે જે પ્રકારે તેમને ધક્કા મારવામાં આવ્યા, આ એક સારા ટ્રેઈન્ડ વ્યક્તિનું કામ છે. હું ઈચ્છું છું કે નવા DG ને હટાવવામાં આવે. 

હેલ્થ બુલેટિન
મમતા બેનર્જી (Mamata Banerjee) હાલ કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે આરોપ  લગાવ્યો હતો કે ષડયંત્ર હેઠળ તેમને ઈજા પહોંચાડવામાં આવી. તૃણમૂલ કોંગ્રેસ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. આ બાજુ હોસ્પિટલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની હેલ્થ વિશે બુલેટિન બહાર પાડ્યું છે. હોસ્પિટલે જણાવ્યું કે છ સભ્યોની સ્વાસ્થ્ય ટીમે મમતા બેનર્જીની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમને ડાબા પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે અને પગમાં દુ:ખાવો છે. જો કે તેમની હાલાત સ્થિર છે. આગામી બુલેટિન સાંજે 6 વાગે બહાર પાડવામાં આવશે. 

Mamata Banerjee की चोट पर TMC नेता Madan Mitra का भड़काऊ बयान, बोले- अगर गुजरात में होता तो 'गोधरा' हो जाता

મમતા બેનર્જીની સમર્થકોને અપીલ
તૃણમૂલ કોંગ્રેર્સે SSKM હોસ્પિટલમાં દાખલ મમતા બેનર્જીનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે. જેમાં તેઓ પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એવું કઈ પણ ન કરો જેથી કરીને નાગરિકોને પરેશાની થાય. આ સાથે જ મમતા બેનર્જીએ જણાવ્યું કે મારા માથામાં અને પગમાં દુ:ખાવો છે. 

— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021

નંદીગ્રામમાં મમતા બેનર્જી પર થયો હુમલો!
બુધવારે નંદીગ્રામ બેઠક પર ઉમેદવારી નોંધાયા બાદ મમતા બેનર્જીએ પોતાના પર હુમલો થયાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંદિરથી પાછા ફરતી વખતે 4 થી 5 લોકોએ કારના દરવાજાને ધક્કો માર્યો. આ દુર્ઘટનામાં તેમનો પગ કારના દરવાજામાં ફસાઈ ગયો અને તેમને ઈજા થઈ. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે આ કોઈ અકસ્માત નથી પરંતુ એક ષડયંત્ર છે. તે સમયે મારી સાથે પ્રશાસનની કોઈ વ્યક્તિ હાજર નહતી.

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news