ગજબ! પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું, ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડીને ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું

ડૉક્ટરોએ દર્દીના ડાબા હાથની ત્વચા, ચેતા અને રક્તવાહિનીઓ લઈને નવું શિશ્ન તૈયાર કર્યું. માઇક્રોસ્કોપિક ટેકનીકની મદદથી નવા બનેલા પેનિસને તે જ જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમાં લોહીનો પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો.

ગજબ! પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું, ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડીને ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું

Penis Surgery: તમે માનશો નહીં પણ આ શક્ય છે.  જયપુરની એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ ગજબની કમાલ કરી છે. કેન્સરના એક દર્દીના શિશ્નને નુકસાન થયું હતું. આમ છતાં ડોક્ટરોએ એવી કમાલ કરી કે તમે માનવા તૈયાર નહીં થાઓ. તબીબોએ કેન્સરગ્રસ્ત દર્દીના પેનિસને હટાવી દઈ હાથ પર નવું પેનિસ ઉગાડ્યું અને આ પછી પેનિસને ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું.. તમે માનશો નહીં પણ આ વાસ્તવિક છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ પુરુષ દર્દીના શિશ્નમાં પણ એવી જ સંવેદનાઓ છે. જે પહેલાંના પેનિસમાં હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં જયપુરમાં 10 થી વધુ શિશ્ન પ્રત્યારોપણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.

ડૉક્ટરોના સમજાવ્યા બાદ દર્દી ઓપરેશન માટે તૈયાર થઈ ગયો
બુંદીના રહેવાસી 72 વર્ષીય પુરુષ દર્દી શિશ્નના કેન્સરથી પીડિત હતા. ઘણી ટ્રીટમેન્ટ બાદ પણ તેમના પેનિસમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો ન હતો. આ પછી ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત શિશ્નને દૂર કરવાનો નિર્ણય કર્યો. દર્દી આ માટે તૈયાર નહોતો. શિશ્ન કાઢી નાખ્યા પછી તેને બેસીને પેશાબ કરવા જવાની સાથે અન્ય શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડયો હોત. આવી સ્થિતિમાં ડોક્ટરોએ નવું પેનિસ બનાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું. પહેલાં તો દર્દી ડરી ગયો હતો પરંતુ બાદમાં ડોક્ટરોની સલાહ પર દર્દી ઓપરેશન માટે રાજી થઈ ગયો હતો.

શિશ્નનું નિરાકરણ અને ટ્રાન્સપ્લાન્ટ, બંને ઓપરેશન એકસાથે
ડૉક્ટરોએ દર્દીના ડાબા હાથની ત્વચા, ચેતા અને રક્તવાહિનીઓ લઈને નવું શિશ્ન તૈયાર કર્યું. માઇક્રોસ્કોપિક ટેકનીકની મદદથી નવા બનેલા પેનિસને તે જ જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમાં લોહીનો પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો. આ સર્જરીમાં માઇક્રો સર્જિકલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિશ્ન પુનઃનિર્માણનો હેતુ યોગ્ય આકાર, લંબાઈ અને મૂત્રમાર્ગ બનાવવાનો તેમજ શિશ્નમાં સંવેદના પુનઃસ્થાપિત કરવાનો છે. ઉપરાંત, જે હાથ પર શિશ્ન ઉગાડવામાં આવ્યું હતું તેની કામ કરવાની ક્ષમતા અને કદમાં કોઈ ફેરફાર થયો નથી. દર્દી હવે પુનઃનિર્મિત શિશ્ન સાથે સામાન્ય જીવન જીવી રહ્યો છે.

4 ટકા દર્દીઓ શિશ્નના કેન્સરથી પીડાય છે
તબીબોના મતે, કેન્સરના લગભગ 4 ટકા દર્દીઓ શિશ્નના કેન્સરથી પીડિત જોવા મળે છે. આમાંથી 50% દર્દીઓએ સારવાર દરમિયાન તેમના શિશ્નને કાઢી નાખવું પડે છે. દર્દીઓ માટે રાહતની વાત છે કે હવે તેઓ નવું પેનિસ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશે. તેનાથી તેમના રોજિંદા જીવનમાં કોઈ વિપરીત અસર થતી નથી. સર્જરી પછી, ટ્રાન્સપ્લાન્ટ પછી બનાવવામાં આવેલ નવું શિશ્ન, કુદરતી શિશ્ન જેવું જ કામ કરે છે. માત્ર બે અઠવાડિયામાં, દર્દી સામાન્ય રીતે ચાલી શકે છે અને દૈનિક પ્રવૃત્તિઓ કરી શકે છે. જો દર્દીનું જન્મજાત લિંગ ન હોય તો પણ લિંગ પુનઃનિર્માણ શક્ય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news