1001 છિદ્રોવાળું આ અદભૂત સફેદ શિવલિંગ અકાળ મૃત્યુથી કરે છે રક્ષા, દૂર દૂરથી આવે છે લોકો 

મધ્ય પ્રદેશના રીવા શહેરમાં આવેલા એક શિવલિંગ અંગે તમને આજે જણાવીએ છીએ. આ શિવલિંગમાં 1001 છિદ્રો છે.

1001 છિદ્રોવાળું આ અદભૂત સફેદ શિવલિંગ અકાળ મૃત્યુથી કરે છે રક્ષા, દૂર દૂરથી આવે છે લોકો 

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના રીવા શહેરમાં આવેલા એક શિવલિંગ અંગે તમને આજે જણાવીએ છીએ. આ શિવલિંગમાં 1001 છિદ્રો છે. અહીંના આ મહામૃત્યુંજય મંદિરમાં આ અદભૂત શિવલિંગ જોવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં ભગવાન શિવની પૂજા મૃત્યુંજય સ્વરૂપમાં કરવામાં આવે છે. 

લોકોની એવી માન્યતા છે કે અહીં જો કોઈ ભક્ત સાચા મનથી ભગવાન પાસે કઈ માંગે તો તેની મનોકામના જરૂર પૂરી થાય છે. એમ પણ કહેવાય છે કે અહીં દર્શન માત્રથી તમામ રોગ દૂર થાય છે અને શારીરિક પીડાથી મુક્તિ મળે છે. 

આ શિવલિંગની એક વધુ ખાસિયત એ છે કે તે સફેદ રંગનું છે અને તેના પર કોઈ પણ ઋતુની અસર થતી નથી. માન્યતા મુજબ 1001 છિદ્રોવાળું આ સફેદ શિવલિંગ પોતાના ભક્તોની રક્ષા કરે છે. કહે છે કે ભોલેનાથના આ મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ  કરવાથી અકાલ મૃત્યુને રોકી શકાય છે. 

કોઈ પણ માનતા પૂરી થતા અહીં નારિયેળ બાંધવાની પ્રથાનું પાલન કરવામાં આવે છે અને આ સાથે જ શિવલિંગ પર બિલિ પણ ચઢાવવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news