West Bengal Assembly Election 2021: ભાજપમાં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- કોઈ તમારો હક છીનવશે તો...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના પ્રવાસે છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી રહ્યા છે. કોલકાતાના બ્રિગેડ મેદાનમાં આ રેલી યોજાઈ છે. પીએમ મોદીના ભાષણ પહેલા જ મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થયા અને તેમણે પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો. 

West Bengal Assembly Election 2021: ભાજપમાં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- કોઈ તમારો હક છીનવશે તો...

નવી દિલ્હી: બંગાળના રાજકારણમાં આજનો દિવસ ખુબ મહત્વનો છે. અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ભાજપમાં જોડાઈ ગયા. મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ ભાજપમાં સામેલ થતાની સાથે જ પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો. થોડીવારમાં કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં પીએમ મોદી (PM Modi) મેગા રેલીને સંબોધન કરશે. 

PM મોદી કોલકાતા પહોંચ્યા
રેલીને સંબોધન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી કોલકાતા પહોંચી ગયા છે. 

'હું પાણીનો સાપ નથી, કોબરા છું'
ભાજપમાં સામેલ થયા બાદ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી મિથુન ચક્રવર્તીએ કહ્યું કે જે તમારો હક છીનવશે તેમના વિરુદ્ધ ઊભા થઈ જઈશું. આજનો દિવસ મારા માટે સપના જેવો છે. આટલા મોટા નેતાઓ સાથે મંચ શેર કરીશ. આવું મે ક્યારેય વિચાર્યું નહતું. મમતા બેનર્જીનું નામ લીધા વગર બહારી વિરુદ્ધ ભીતરીનો જવાબ આપતા મિથુને કહ્યું કે બંગાળમાં રહેતા દરેક બંગાળી છે. અમે ગરીબો માટે કામ કરવા માંગીએ છીએ. ગરીબો માટે કામ કરવું મારું સપનું છે. મિથુને કહ્યું કે હું જે બોલું છું તે કરું છું. હું પાણીનો સાપ નથી, કોબરા છું. 

ભારે ભીડ ઉમટી
કોલકાતાના બ્રિગેડ મેદાન પર પીએમ મોદી (PM Modi) ની રેલી માટે ભારે ભીડ ઉમટી છે. અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા ગરમાવો વધી ગયો છે. મિથુન ચક્રવર્તી સાથે મંચ પર કૈલાશ વિજયવર્ગીય, શિવ પ્રકાશ, મુકુલ રોય સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. આ અગાઉ બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત થઈ હતી. વિજયવર્ગીયે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આ મુલાકાત બાદ જ મિથુનની રાજકીય ઈનિંગ અંગે ચર્ચાઓને બળ મળ્યું. 

— ANI (@ANI) March 7, 2021

મિથુન દા વિશે કેટલીક મહત્વની વાતો...
2014માં TMC થી રાજ્યસભા સાંસદ બન્યા હતા મિથુન ચક્રવર્તી
2016માં ખરાબ સ્વાસ્થ્યના કારણએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
2016થી સતત રાજકારણથી દૂર રહ્યા મિથુન ચક્રવર્તી
2019માં નાગપુર ખાતેના RSS મુખ્યાલય ગયા હતા મિથુન
2020માં લખનઉમાં શૂટિંગ દરમિયાન RSS પ્રમુખ સાથે કરી હતી મુલાકાત
16 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં મિથુનના ઘરે પહોંચ્યા હતા સંઘ પ્રમુખ. મિથુનના ઘરે 3 કલાક રહ્યા હતા RSS પ્રમુખ મોહન ભાગવત. મિથુન ચક્રવર્તીએ આ મુલાકાતને બિનરાજકીય ગણાવી હતી. 

— ANI (@ANI) March 7, 2021

પીએમ મોદીનો મેગા શો
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ બંગાળમાં આજે પહેલો મોટો કાર્યક્રમ થશે. આ રેલીને સફળ બનાવવા માટે ભાજપે ભારે ભીડ ભેગી કરવાની યોજના ઘડી છે. ભાજપ તરફથી દાવો કરાયો છે કે 10 લાખ જેટલા લોકો રેલીમાં સામેલ થશે. 

બંગાળમાં કોણ બળવાન?
બંગાળમાં કોણ બળવાન? સવાલ ઘણો મોટો છે. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની મહારેલી છે. ભાજપે 10 લાખ લોકો માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે પ્રધાનમંત્રીની વાત સાંભળવા માટે પશ્ચિમ બંગાળના જિલ્લાઓથી આ રેલીમાં આવશે. બીજી બાજુ મોંઘવારી વિરુદ્ધ આજે જ સિલિગુડીમાં મમતા બેનરજીની પદયાત્રા થશે. દાવો કરાઈ રહ્યો છે કે દીદી આ પદયાત્રામાં એક લાખથી વધુ ભીડ ભેગી કરશે. જ્યારે TMC માં ટિકિટ કપાવવા પર 23 વિધાયકોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ટીએમસીમાં હવે ચૂંટણી ટાણે ભાગદોડ મચેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news