શ્રાવણ પુરો થતા પહેલાં ઘરમાં વાવી દો આ છોડ, થોડા જ ટાઈમમાં જ થશે અણધાર્યો લાભ

Shravan Maas: શ્રાવણ માસને આખા વર્ષમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવાથી મનોવાંચ્છુક ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે આ મહિનામાં જો તમે તમારા ઘરમાં આ 6 પૈકી કોઈ છોડની વાવણી કરો છો તો તમારું કિસ્મત ચમકી શકે છે.

શ્રાવણ પુરો થતા પહેલાં ઘરમાં વાવી દો આ છોડ, થોડા જ ટાઈમમાં જ થશે અણધાર્યો લાભ

Shravan Lucky Tree: શ્રાવણ મહિનો એટલે મહાદેવનો મહિનો. શ્રાવણ મહિનો એટલે હિંદુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો. શ્રાવણ મહિનો એટલે સેવા, પુજા, પાઠ અને ઈશ્વરની આરાધનાનો મહિનો. આ મહિનામાં ઈશ્વરને પ્રિય એવા છોડની જો તમે તમારા ઘરે રોપણી કરો છો તો તમને તેનાથી ખુબ લાભ થાય છે એવી માન્યતા છે. શું તમે જાણો છો ઈશ્વરને પ્રિય એવા કયા છ છોડ છે....જાણો વિગતવાર...

શ્રાવણ મહિનો શિવની ભક્તિની દ્રષ્ટિએ તો મહત્વનો છે જ. સાથે સાથે આ મહિનો નવા જીવનની શરૂઆતનો મહિનો પણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન છોડ રોપવાથી પુણ્ય તો મળે જ છે, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. આજે આપણે જાણીએ છીએ કે આ મહિનામાં કયા છોડ સૌથી વધુ ફાયદાકારક છે. પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન આવતા વ્રત-તહેવારોમાં વૃક્ષ અને છોડની પૂજાનું વિશેષ મહાત્મય હોય છે. આ સમય દરમિયાન કેટલાક ખાસ છોડ વાવવામાં આવે તો વ્યક્તિનું જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ બની શકે છે.

શ્રાવણ મહિનામાં વાવો આ છોડ:

લજામણીનો છોડઃ
શ્રાવણ મહિનાના શનિવારે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ લજામણીનો છોડ લગાવો. આ છોડ લગાવવાથી શનિ દોષમાંથી રાહત મળે છે અને માં લક્ષ્મીની કૃપા થાય છે.

ક્લસ્ટર ફિગઃ
જ્યોતિષશાસ્ત્રમાં ક્લસ્ટર ફિગ વૃક્ષને ચમત્કારીક વૃક્ષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં એક ક્લસ્ટર ફિગ છોડ વાવવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે.

તુલસીનો છોડઃ
તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો અને શુભ માનવામાં આવે છે. હિંદુધર્મના મોટાભાગના લોકોના ઘરમાં તુલસીનો છોડ રોપેલો હોય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી અથવા તમે બીજો તુલસીનો છોડ રોપવા માંગો છો, તો આ માટે શ્રાવણ મહિનો સૌથી શુભ છે. આ છોડની નીચે રોજ દીવો કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પરિવાર સ્વસ્થ રહે છે.

પીપળાનો છોડ:
શ્રાવણ મહિનાના ગુરુવારે પીપળાનો છોડ લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે. પીપળાના છોડને ભૂલથી પણ ઘરમાં ન લગાવો. આ વૃક્ષને બગીચામાં, મંદિર પાસે તથા રસ્તાની બાજુમાં વાવવામાં આવે છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ સિવાય કેટલાક લોકો પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.

દાડમનો છોડ:
શ્રાવણ મહિનામાં દાડમનો છોડ રોપવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે, છોડ રાત્રીના સમયે વાવવો જોઈએ. તેને ઘરની સામે રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

કેળાનો છોડ:
એકાદશી અથવા શ્રાવણ મહિનાનાં ગુરુવારે કેળાના રોપવા વાવી શકાય. ઘરમાં કેળાનું વૃક્ષ વાવવું વાસ્તુની દ્રષ્ટિએ શુભ નથી, પરંતુ ઘરની પાછળ અથવા છતની પાછળ તેને રોપવામાં કોઈ નુકસાન નથી. વૃક્ષ વાવ્યા બાદ તેને દરરોજ જળ આપો. તેનાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે. સાથે જ, ગુરુ ગ્રહ કુંડળીમાં મજબૂત બનશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news