2 વિશ્વકપ જીતનાર આ ક્રિકેટને આજે પણ છે સેનામાં ન જવાનો અફસોસ

દિલ્હીના આ ક્રિકેટરે કહ્યું, જો હું 12 ધોરણમાં અભ્યાસ કરતા રણજી ટ્રોફીમાં ન રમ્યો હોત તો નિશ્ચિત રીતે એનડીએમાં જવાનો હતો. 
 

2 વિશ્વકપ જીતનાર આ ક્રિકેટને આજે પણ છે સેનામાં ન જવાનો અફસોસ

નવી દિલ્હીઃ સેના જ તેનો પ્રથમ પ્રેમ હતો પરંતુ ભાગ્યએ ગૌતમ ગંભીરને ક્રિકેટ બનાવી દીધો. સફળ ક્રિકેટ બન્યા છતાં ગૌતમને પોતાના પ્રથમ પ્રેમ પ્રત્યે લગાવ ઓછો થયો નથી અને આ પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે, શહીદોના બાળકોને મદદ કરનારા એક ફાઉન્ડેશનના માધ્યમથી તેણે પોતાનો પ્રેમને જીવંત રાખ્યો છે. ભારતને 2 વિશ્વકપ (2007માં વર્લ્ડ ટી20 અને 2011માં વનડે વિશ્વક) અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગંભીરે એક પુસ્તકના વિમોચન દરમિયાન સેના પ્રત્યે પોતાને જનૂનને લઈને વાત કરી હતી. 

ગંભીરે કહ્યું, ભાગ્યને તે મંજૂર ન હતું અને જો હું 12માં અભ્યાસ કરતા રણજી ટ્રોફીમાં ન રમ્યો હોત તો ખરેખર હું એનડીએમાં ગયો હોય કારણ કે તે મારો પ્રથમ પ્રેમ હતો અને હજુ પણ છે. મને જિંદગીમાં એક દુખ છે કે હું સેનામાં ન ગયો. 

તેમણે કહ્યું, તેથી જ્યારે હું ક્રિકેટમાં આવ્યો તો મેં નિર્ણય કર્યો કે મારા પહેલા પ્રેમ પ્રત્યે કંઇ યોગદાન આપું. મેં આ ફાઉન્ડેશનની શરૂઆત કરી જે શહીદોના બાળકોનું ધ્યાન રાખે છે. ગંભીરે કહ્યું કે, આવનારા સમયમાં તે પોતાના ફાઉન્ડેશનનો વિસ્તાર કરશે. તેણે કહ્યું, અત્યારે અમે 50 બાળકોને પ્રાયોજીત કરી રહ્યાં છીએ. અમે આ સંખ્યા વધારીને 100 કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news