IPL 2019: ચેન્નાઈની હાર પછી પણ વિરાટ કોહલી છે ખુશ કારણ કે...

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટને કહ્યું કે આ પ્રકારની શરૂઆત કોઈપણ ટીમ નહીં ઇચ્છે

IPL 2019: ચેન્નાઈની હાર પછી પણ વિરાટ કોહલી છે ખુશ કારણ કે...

ચેન્નાઇ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં શનિવારે ગઈ સિઝનના ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ પછી રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કહ્યું છે કે કોઈપણ ટીમ આવી શરૂઆત નહીં ઇચ્છે પણ રમતમાં આવું થવું સારી વાત છે. હું મેદાન પરના ખેલાડીઓના અભિગમથી ખુશ છું. મને ખબર છે કે અમારી બેટિંગ બરાબર નહોતી અને અમે જલ્દી કમબેક કરીશું. 

ચેન્નાઇ સુપરકિંગ્સે (Chennai Super Kings) મેચમાં ટોસ જીતને પહેલાં બોલિંગ કરીને બેંગ્લુરુને 17.1 ઓવરમાં 70 રનના સ્કોરે બોલ્ડ કરી દીધું હતું. આ પછી ચેન્નાઈએ ત્રણ વિકેટ ગુમાવીને 17.4 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું. આ આઇપીએલ (IPL 2019)ની 12મી સિઝનની પહેલી મેચ હતી. લીગમાં રવિવારે બે મેચ રમવામાં આવશે. 

આઇપીએલ (Indian Premier League)માં રવિવારે (24 માર્ચ)ના દિવસે બે મેચ રમવામાં આવશે. પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમત રમાશે. બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાશે. દિલ્હી કેપિટલ્સ ગઈ સિઝન સુધી દિલ્હી ડેરડેવિલ્સના નામે મેચ રમતી હતી પણ આ વખતે એણે પોતાનુ નામ બદલી નાખ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news