World Cup 2019: PM મોદીએ કહ્યું, હાર-જીત જીવનનો ભાગ, અમને ટીમ પર ગર્વ છે

ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 
 

World Cup 2019: PM મોદીએ કહ્યું, હાર-જીત જીવનનો ભાગ, અમને ટીમ પર ગર્વ છે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતને 18 રનથી પરાજય આપીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. આ સાથે ભારત વિશ્વકપની સફર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ મેચ હાર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભારતીય ટીમને વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા આપી છે. 

India batted, bowled, fielded well throughout the tournament, of which we are very proud.

Wins and losses are a part of life. Best wishes to the team for their future endeavours. #INDvsNZ

— Narendra Modi (@narendramodi) July 10, 2019

પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું- જીત-હાર જીવનનો ભાગ છે, હું ભારતીય ટીમને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. પીએમ મોદીએ આગળ લખ્યું, મેચનું પરિણામ નિરાશાનજક રહ્યું પરંતુ ટીમ ઈન્ડિયા દ્વારા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચની અંત સુધી લડત આપી તે શાનદાર રહ્યું. ભારતીય ટીમે ટૂર્નામેન્ટ દરમિયાન સારી બોલિંગની સાથે સારી બોલિંગ કરી, જેથી અમને ભારતીય ટીમ પર ગર્વ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news